Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દેવકર્મઃ કંઈ જગ્યાએ પૂજા-પાઠ કરવાનું, કેવું મળે છે ફળ ?

દેવાવય પવિત્ર સ્થાન હોય છે. ત્યાંની પવિત્રતા જીવનના બધા ભય, ચિંતા, શંકા અને વિકારોને એ રીતે દૂર કરે છે કે મન વિશ્વાસ, ઊર્જા, સુરક્ષાની સાથે જ સારા કર્મ, વચન અને વ્યવહારની અદભૂત પ્રેરણાથી ભરી દે છે. આ વાતમાં જીવન સાધવાના સૂત્ર એ પણ છે કે જો મનને જ પવિત્ર બનાવી લેવામાં આવે છે તે મંદિરની જેમ પોતાની સાથે જ બીજાને પણ સુખ-શાંતિ આપનારું હોય છે.

હિન્દુ ધર્મશાસ્ત્રોમાં મનને સ્વચ્છ, ઊર્જાવાન અને મજબૂત બનાવી રાખવા માટે જ દેવ ઉપાસના અને કર્મ સારો ઉપાય માનવામાં આવ્યો છે. દેવ મર્યાદા, કર્મની પવિત્રતા અને સાર્થક પરિણામો માટે પૂજા-પાઠ કરવા માટે સ્થાન વિશેષનું મહત્વ બતાવ્યું છે. જાણો શિવ પુરાણમાં બતાવેલ દેવકર્મ કરવા માટે કયું સ્થાન સૌથી શ્રેષ્ઠ હોય છે અને તેના પરિણામ-ફળ કેવા મળે છે તે જાણો?

- સૌથી પહેલા પોતાના ઘરમાં પવિત્રતાની સાથે કરવામાં આવેલા શાસ્ત્રોક્ત કર્મ શ્રેષ્ઠ ફળ આપે છે.

- ગૌશાળામાં કરવામાં આવેલ કર્મો ઘરથી પણ વધારે દસ ગણું ફળદાયી હોય છે.

- કોઇ પવિત્ર સરોવરના કિનારે ગૌશાળા દેવકર્મ કરવાથી દસ ગણું પુણ્ય મળે છે.

- તુલસી, બિલિપત્ર કે પીપળા વૃક્ષના મૂળની નજીક કરેલા દેવ કર્મ જળાશયથી કે નદી આગળ કરેલા દેવ કર્મ કરતા દસ ગણાં વધારે શુભ ફળ આપે છે.

- આ વૃક્ષોની નીચે પણ કરવામાં આવેલુ દેવ કર્મ કરતા મંદિરમાં કરેલા દેવકર્મથી વધારે ફળદાયી હોય છે.

- તીર્થ ભૂમિથી પણ વધારે શુભ કોઇ નદીના તટ પર કરવામાં આવેલા દેવકર્મ હોય છે.

- નદીમાં પણ સપ્તગંગા એટલે કે સાત નદીઓમાં ગંગા,ગોદાવરી, કાવેરી, તામ્રપર્ણી, સિંધુ, સરયુ અને નર્મદાના કિનારે કરવામાં આવેલું દેવ કર્મ અતિ શુભ અને ફળદાયી છે.

- તેનાથી વધારે સમુદ્રના કિનારે કરવામાં આવેલા દેવકર્મ પુણ્યદાયી છે.

- તો સૌથી વધુ શુભ અને પુષ્યદાયી ફળ પર્વત શિખર ઉપર કરવામાં આવેલ દેવકર્મોથી મળે છે. આ સંદર્ભમાં રાવણ દ્વાર કરવામાં આવેલ તપથી મેળવેલ શિવકૃપા ઉલ્લેખનીય છે.

આ બધા સ્થાનો પછી શિવપુરાણમાં મનને પવિત્ર બનાવવાનો છુપાયેલ સંદેશ આપત લખ્યું છે કે જ્યાં મન લાગી જાય ત્યાં દેવકર્મો માટે સૌથી શ્રેષ્ઠ સ્થાન છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111464939
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now