આપણને 'પાગલ' કહે એવા લોકો બહુ ઓછાં હોય છે અને એમનું આપણને 'પાગલ' કહેવું એ ચલાવી લેવા એવી વ્યક્તિઓ પણ ઓછી હોય છે.બાકી જો આપણી કોઈ ખાસ વ્યક્તિ સિવાય આપણને કોઈ 'પાગલ' કહે તો આપણે તરત જ સામે પ્રતિસાદ આપી દેતા હોઈએ છીએ અને એટલે જ એવી માન્યતા છે કે આપણે જીવનમાં દરેક શબ્દો બધા માટે નથી પ્રયોજતા.અમુક શબ્દો માત્ર આપણી અંગત વ્યક્તિઓ માટે જ પ્રયોજવામાં આવતા હોય છે.જે આપણને પ્રેમ કરતું હોય છે એને જ હક્ક આપતા હોઈએ છીએ આપણને 'પાગલ' કહેવાનો અને જેને આપણે પ્રેમ કરીએ છીએ એને જ આપણે પ્રેમથી 'પાગલ' કહીએ છીએ!
#પાગલ