ખારાશ ને પેલે પાર...
હું ને દરિયો કેટલું સામ્ય છે જો
દિવસે ખળભળે રાત્રે સૂનકાર છે જો
ખારાશ એટલી અસહ્ય કે પી ના શકાય
તો યે શ્વસે છે લાખો જીવ પેટાળ માં જો
અખૂટ છે નીર ચાહે એટલું લઇ લ્યો
ઉભરાય તો સુનામીના નામે બદનામ છે જો
ડૂસકાં એકલતા કવિતા ને કંકર બધું જ સહે છે
છતાંયે કિનારે સૌને હરદમ આવકારે છે જો
થપાટો સહે નિરંતર ઋતુઓની તોયે
દિવાદાંડી સમું કંઇક એમાં ટમટમે છે જો
છંદ અલંકાર જેવા કોઇ આભૂષણ નથી દેહે
અસંખ્ય કવિઓએ કેવો ચાહ્યો છે પણ જો
-મનીષા