દુનિયાની સૌથી મોટી લોકશાહી ગણાતા ભારતનું શાસન બંધારણને આધારે ચાલે છે. આ બંધારણને ૧૯૪૭માં આઝાદી મળ્યા બાદ ડો. બાબાસાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં રચાયેલી એક સમિતિએ ૧૦૮૧ દિવસના પરિશ્રમ બાદ તૈયાર કર્યુ હતું. બંધારણ તૈયાર કરવા માટે રૂ.૬.૨૪ કરોડનો તે સમયે ખર્ચ થયો હતો. બંધારણ તૈયાર થયા બાદ તેની સોંપણી ૧૯૪૯ના ૨૬ નવેમ્બરે કરવામાં આવી હોવાથી આ દિવસને સંવિધાન સ્વીકાર દિવસ ગણાવાય છે.