હમણાંનો જાણે સમય જ ચાલી રહ્યો છે વિવાદ કરવાનો..! જ્યાં જુઓ ત્યાં કોઈને કોઈ, કોઈને કોઈ વાતે વિરોધ, વિવાદ કરી રહ્યું છે.
ઠીક છે હવે હાથમાં ફોન હોય અને સોશ્યલ મીડિયામાં બે ચાર પોસ્ટ લખીને મૂકી દો એટલે મગજ શાંત થઈ જાય, જે વાત પચી નહતી, જેના વિશે કંઇક કહેવું હતું એ કહેવાઈ ગઈ એટલી ધરપત થઈ જાય અને એમાંય પછી પોસ્ટ પર આવતી લાઈક અને કૉમેન્ટ્સ જોઇને માણસને જાણે જે કહેવું હોય એ કહેવાનો છૂટો દોર મળી જાય...
તમે કોણ છો અને કોની ઉપર લખી રહ્યાં છો એ મુદ્દા ઉપર તો કોઈ વિચાર કરવા પણ નવરું નથી! કોઇની અંગત લાઈફ વિષે ચર્ચા કરવાની છૂટ તમને કોણે આપી? અહીંયા જે પણ લોકો પોસ્ટ મૂકતાં હોય એને અનુલક્ષીને તમે વિરોધ કરી શકો પણ પછી વાત સીધી સામેવાળાના ઘર સુધી પહોંચી જાય, એના પરિવારને પણ અહીં ઘસડી લેવાય અને અભદ્ર ટિપ્પણીઓ ચાલું થઈ જાય એ કેટલું વાજબી..?
કાજલ ઓઝા વૈદ્ય બેન સાથે થોડાક દિવસો પહેલાં આવો જ કિસ્સો બની ગયો અને એમણે સામેવાળા ઉપર કોર્ટમાં માનહાનિનો કેસ કર્યો...!
ટુંકમાં હવે કોઈના અંગત જીવન પર પ્રહાર કરતાં પહેલાં વિચારી લેજો... ક્યાંક કોર્ટના પગથિયાં ના ચઢવા પડે..!
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?