ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ઘણા સમય પહેલા દેશની ચોખ્ખાઇ માટે એક અભિયાન બહાર પાડયું હતું
ભારત સ્વચ્છ અભિયાન...
થોડાક દિવસ દેશમાં ચાલયું ને ફરી પાછુ લોકો તેને ભુલી ગયા..માથે ગાંધી ટોપી સફેદ કપડા ને હાથમાં લાંબુ ઝાડું લોકો આવો વેશ પહેરીને ગામ શહેર રોડ ને રસ્તા ઉપર આવીને કચરો વાળવા નીકળી પડયા હતા રોજ આવા સમચાર ન્યુઝ પેપરોમાં પહેલા પાને ને સાથે ફોટા સાથે સમાચારો આવતા હતા..ત્યારે આપણને એવુ લાગતુ હતુ કે ખરેખર આપણો દેશ બદલાઇ રહયોછે..વિકાસની સાથે સાથે સ્વચ્છતા પણ હવે ભારતમાં જોવા મળશે!લોકો સુધરી રહયા છે હવે પોતાના ઘરના આંગણા તેમજ મહોલ્લા કે પોળ બધુ જ સાફ સુધરુ દેખાઇ રહયું છે..પણ તે એક બે ને ત્રણ દિવસ જેવુ દેખાયુ પછી પાછુ હતુ ને તેમનુ તેમ પાછુ ફરી એજ થઇ ગયુ!
સરકારી ઓફિસો..પ્રાઇવેટ કોમ્પલેક્ષો મકાનોની દિવાલો ઉપર ફરી પાછી એજ વિમલની લાલ પીચકારીઓ! એજ મસાલાના પ્લાસટીક..બીડી સિગારેટના થુથા..જયાં ને ત્યાં હતુ તેમને તેમ..એક ફિલમ હતી તેનુ શિર્ષક હતુ (હમ નહી સુધરેગે) એજ સુત્ર આજ વધુ સાચુ પડતુ જાયછે..જાહેર રોડ ઉપર કાગળના ટુકડા પ્લાસટીકના શાક ભરવાના ઝભલા નજરે પડતા હોયછે..કોઇ પણ ગામમાં ફરો મોટા શહેરમાં ફરો કદાચ અંદરથી જરા ચોખ્ખુ દેખાય પણ તેની અંદર પ્રવેશ કરો તો એજ કચરાના ઢગલા ને ચોફેર ગાયોના ધણ...જેઓ મોઢામાં કાગળ કે પ્લાસટીકના ટુકડા ખાતી નજરે પડેછે..યુરોપના કોઇ પણ દેશમાં ફરો પણ તમને કયાંય ગંદગી જોવા નહી મળે કારણકે ત્યાં વિમલ નથી પાનપરાગ નથી તુલસી નથી કે 135 તમાકુ નથી કે 300 પણ તમાકુ નથી જે કંઇ છે તે આપણા એશીયા ખંડમાં જ છે...કહેવાનો મતલબ એશીયા ખંડના કોઇપણ દેશમાં ફરો ચારેય બાજુ ગંદકી...પરંતુ બીજા દેશોમાં જે કંઇ હોય પણ આપણે આપણા દેશને ચોખ્ખો બનાવવાનો છે..તેના માટે આપણે એક સાથ થવાની જરુરછે આમ આ કામ કરવા એકલે હાથે કદી તાડી નહી પડે તેથી મોદીજી કહેછે કે સબકા સાથ સબકા વિકાસ...પણ મોદીજી એક કલાક બોલીને ચાલ્યા ગયા ને બે દિવસ આપણે તેમના કામ કરીશુ પણ પછી પાછુ આપણે હતા ત્યાના ત્યા જ રહેવાના છીએ..કારણકે આપણે આપણા વિચારોને મજબુત બનાવતા નથી..થશે..હશે..ને ચાલશેમાં જ રહીએ છીએ..આપણને સારા વિચાર તો આવેછે પણ આપણે તેનુ યોગ્ય રીતે પાલન કરતા નથી એજ આપણી નબડાઇ છે જે આપણે બદલતા નથી..સારી વાતો સૈ કોઇ કરેછે પણ તે કામ કરવા આપણે આગળ આવતા નથી બસ આપણે જબાનથી જ કામ લઇએ છીએ કે એ ભાઇ આમ કરો..એ ભાઇ તેમ કરો પણ પોતાની જાત બિલકુલ ઘસતા નથી...મોરારીબાપુ તેમની કથામાં આપણને ઘણુબધુ સારુ સારુ કહેછે જે આપણે આપણા જીવનમાં ઉતારવુ જોઇએ પણ મંડપમાંથી ઘેર ગયા પછી પાછા આપણે હતા તેવા જ રહીએ છીએ..એજ લોકોની વાતો..એજ આપણુ અભિમાન..ને આપણા કર્મો..કથાકાર નવ દિવસ કથા કરે કે અઢાર દિવસ પણ આપણામાં કોઇ સારો બદલાવ આવતો નથી...તેઓ બોલ્યા..સાંભળ્યુ ને કાઢી નાખ્યુ!..
તો બને તેટલો કચરો ઓછો થાય તેમ પગલાં ભરવા જોઇએ..અથવા તો કચરાનો બને તેમ જલદી નિકાલ કરવો જોઇએ..ગમે તેમ કચરો ફેકવો ના જોઇએ બલ્કે જયાં ડસ્ટબીન પડયુ હોય તેમાં જ કચરો નાખવો જોઇએ..આવા સારા કામની પહેલ જો આપણે પહેલા કરીશુ તો તે જોઇને બીજા પણ જરુર કરશે...કચરો કચરાપેટીમાં જ નાખવાનો આગ્રહ રાખો ને ભારતને અતિ સુદર બનાવો કે આપણે સૈ સાથે મળીને બનાવીએ...
પણ છેવટે તો પેલુ ફિલ્મી નામ જ આગળ આવવાનુ છે કે હમ (કભી) નહિ સુધરેગે!!!!