પ્રેમ અને પરમાત્મા ક્યારેય ગેરહાજર હોતા નથી....
આપણે જ આપણી જીદ, ઇચ્છાઓ, માન્યતાઓ, અને આગ્રહો થી પ્રેમ ઉપર થરના થર જમાવી દઈએ છીએ અને પછી કહીએ છીએ કે પ્રેમ અલોપ થઈ ગયો છે.
તમે જ લાદી દીધેલું થોડુંક હટાવી દો, પ્રેમ તો હતો ત્યાંનો ત્યાં જ છે. તમારો પ્રેમ તમારી આસપાસમાં જ ક્યાંક હશે.
થોડાક થર હટાવી દો, એકાદ ગાંઠ છોડી નાખો, થોડોક ભાર હળવો કરી દો...
પ્રેમ અને પરમાત્મા જેટલા સુલભ છે એટલા જ દુર્લભ છે
ઘરાકી બહુ હોય અને માલની ખેંચ હોય તો ભાવ વધે તેમ પરમાત્મા એ અછત ઉભી કરેલી છે...
પરમાત્મા તમારી સામે હોવા છતાં દેખાતા નથી એ જ એનું મહત્વ છે.
અછત ની જ કીમત છે...
જે પ્રેમ અને ભગવાન ને યાદ રાખે તેને માટે સુલભ છે...
આપણી યાદી માં જ પ્રેમ અને ભગવાન નથી પછી ક્યાંથી સુલભ રહે..
જે વસ્તુ આપણા મગજમાંથી જતી રહે પછી આપણને ઘરમાં હોય તો પણ જડે નહિ તે પ્રમાણે પ્રેમ અને ભગવાન બાજુમાં જ છે પણ ભેજા માં જ ન હોય તો ક્યાંથી મળે ???
કલ્પેશ ઉમરેટીયા