પ્રગતિ કે પતનના મૂળમાં રહેલા હોય છે વિચાર આપણા.
ઉન્નતિ કે અવનતિના મૂળમાં રહેલા હોય છે વિચાર આપણા.
અન્નથકી જ મનનું નિર્માણ થાય છે આખરે મનુજ જીવનમાં,
સદાચારના રસ્તે પંથ કાપનારના વખણાય છે વિચાર આપણા.
સદાચાર કે સુમતિ એ જ ખરી સંપત્તિ છે માનવમન તણી,
કુમાર્ગે ગતિ કરતાં સદૈવ લોકોથી વખોડાય છે વિચાર આપણા.
વિચાર આજનો જે છે તે આવતીકાલનું કર્મ જ હોઈ શકે,
સાત્વિક આહાર થકી જ દિમાગે જળવાય છે વિચાર આપણા.
રામ કે રાવણ વ્યક્તિ કરતાં વૃત્તિ હજુયે શ્વસે છે સમાજમાં,
વર્તનની બુનિયાદે વ્યક્તિ કે વૃત્તિના મૂલવાય છે વિચાર આપણા.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '