??*પંખી* ??
જયાં સુધી દિલમાં ધડકન ચાલુ છે ત્યાં સુધી હું આપનો છું.
પાંજરા ના દ્વાર ખુલશે ને પ્રાણ પંખી બની ઉડી જવા નું છું.
નામ મારું સર્વ નાં મુખે હોય એ નામ બદલીને જશે.
જે નામથી હોંકારો આપ્યો હશે એ દેહને લાશ બનાવી દેશે.
પ્રાણપંખેરું ઉડી ગયો અનજળ પુરાં થયાં એમ કહેતા હશે.
અંતર અજીજ મારા દેહ પર હાથ ના હથોડા મારતાં હશે.
આંખે ગંગા જમના વહેતા આક્રંદ આકાશમાં ગુંજતા હશે.
દિવસે દિવસે યાદ બની માળાના પંખી બની વિસરાઈ જશે.
નર કહે હજુ નયનમાં વસ્યા હસો એને મુકતા કેવું થતું હશે.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ