ઘણી વખત આપણે સાચા હોઈએ ત્યારે ઉગ્રતાથી બોલવા માંડીએ છીએ. પરંતુ સત્યમાં પણ ક્યાંક ખાંચો રહી જતો હોય અને સામી વ્યક્તિ વધુ બુદ્ધિશાળી હોય ત્યારે તમારી ભૂલ પકડી પાડે તો તમારે ઢીલા થઈ જવું પડે છે. એટલે શ્રેષ્ઠ રસ્તો એ છે કે ગમે તેટલા સાચા હોઈએ છતાં સહિષ્ણુ બનવું. ખોટા માણસની વાત પણ શાંતિથી સાંભળવી. મિજાજ ગુમાવવાથી ઘણી વખત મુદ્દો ગુમાવી બેસીએ છીએ. દલીલમાં ઉગ્રતા લાવવાથી શક્તિ વેડફાય છે અને શાંતિથી બોલવાથી સામી વ્યક્તિ પ્રભાવિત થાય છે.
- અજ્ઞાત