પૈસો
સુખી અને દુખી માણસો વચ્ચે નો ભેદ દર્શાવતી એક અને માત્ર એક જ અદ્રશ્ય રેખા એટલે પૈસો.
આજના જમાના નો સૌથી મોટો અભિષ્રાપ એટલે પૈસો.
અમીરો પાસેથી જતો નથી અને ગરીબો પાસે રેહતો નથી.
અમીરો ને કઇ જગ્યા એ વાપરવો એની ચિંતા તો ગરીબો ને ક્યાંથી લાવી ને વાપરવો એની ચિંતા.
જો મહેનત થી મળતો હોત તો મજુરવર્ગ પાસે સૌથી વધુ હોત.
જો નસીબ થી મળતો હોત તો એક જ ઝુંપડી માં બધા જ ગરીબ ના રેહતા હોત.
પોતાના ખિસ્સા ભરવા ની આડ મા માં લક્ષ્મી નુ થતુ અપમાન એટલે પૈસો.
કલર બદલાયો પણ પોતાની છાપ ના બદલી શક્યો આ પૈસો.
પૈસા ને કર્મ સાથે કોઇ સંબંધ હશે ખરો ?
જો હા તો ગરીબો ની વસ્તી અમીરો કરતા કેમ વધુ છે ?અને
જો ના તો કર્મ વગર અમીરો ને વારસા મા કરોડો ની સંપત્તિ કેમ મળી જતી હશે ?
કદાચ એટલે જ અમીરો માથા પર આ સ્લોગન લખાવી લેતા હોય છે. "NOBODY CARES ABOUT MY CHARACTER & IDENTITY BCOZ I M RICH"
રાજા યુધિષ્ઠિર દ્વારા જે સમાજ ની રચના થયી હતી એ જોઇ અને પ્રસન્ન થયીને
ભગવાન શ્રીકૃષ્ણ એ મહાભારત મા કહ્યુ હતુ કે " ચોરી તો ત્યાં થાય જ્યાં અમુક લોકો પાસે બધુ જ હોય અને અમુક લોકો પાસે કઇજ ના હોય"
કદાચ એવા સમાજ ની તો આપણે કલ્પના જ કરવી રહી.