મારા રાષ્ટ્રનો શિક્ષક આવો લાચાર કે ઘેંટું ન બને...
થોડી વાતો આવી છે કે પત્રકારો શાળામાં આવી ને શિક્ષકોને જનરલ નોલેજ પૂછે છે ને એ શિક્ષકોને નથી આવડતું ! મારા માટે આ શરમ જનક બાબત નથી મિત્રો...
શરમ તો એ આવે છે કે શિક્ષણ અને શિક્ષક ને રાજકારણીઓ અને પત્રકારો આડી બોવડીનો બાવળ સમજી બેઠા છે!
આટલી લડત તો લડો તમારા સ્વમાન ખાતર...
~ કોઈ પણ શાળામાં આવે તેનો આવવાનો ઉદ્દેશ્ય પૂછો.
~ પત્રકાર હોય તો એને મંજૂરી લીધી છે અહીં આવવાની અને તમારા ઇન્ટરવ્યૂ લેવાની? એ પૂછો.
~ એ હા પાડે તો લેખિત કાગળીયું માંગો.
~ કોઈ પણ મીડિયા સામે સરકારની મંજૂરી વગર તમે ઇન્ટરવ્યૂ ન આપી શકો એવો પરિપત્ર છે એટલે એને આ વાત કહી ને એની સામેથી ખસી જાઓ. આ દરમિયાન તમારા મોબાઈલમાં વોઇઝ રેકોર્ડિંગ શરૂ કરી દો.
~ આચાર્ય, ગામની વ્યક્તિ, એસ.એમ.સી. કે ઉચ્ચ અધિકારીઓ સાથે મીડિયા આવે તો પણ તેને તમારા વ્યક્તિગત સ્વતંત્રતાના ધારા હેઠળ ના પાડી શકો છો.
~ એમનો કેમેરો શરૂ હોય ત્યારે ઉગ્ર થયા વગર કાયદાકીય વાત કરો.
~ કોઈ ગામની વ્યક્તિ કે એસ.એમ.સી. ની વ્યક્તિ તમારા વર્ગની મુલાકાત માટે આવે તો પણ એની પાસેથી લેખિત મુલાકાત સહી લો.
~ પર્સનલ વિઝિટ બુક રાખી એને જે કર્યું એ નોંધ કરી સહી કરો એ સહી કરવાની ના પડે તો એને જે જવાબ આપ્યો હોય એ લખીલો. જો સાક્ષીમાં તમારા તમારા આચાર્ય કે સ્ટાફ સહી કરે તો ગુડ.
મારા રાષ્ટ્રના નાગરિકનું ઘડતર કરનારો જ્ઞાનથી નબળો પડ્યો છે એટલે નીડર નથી રહ્યો એ હકીકત છે પણ હાલ ઘરફુટે ઘર જાય એવી દશાના માહોલમાં આપણાં જ કેટલાક મિત્રોના બદઈરાદા અને ખોળે બેસી જવાની વૃત્તિએ આપણને આ સ્થિતિમાં મૂકી દીધા છે. થોડા જાગો જ્ઞાની બનો નીડરતા એની મેળે આવશે.
જય હિન્દ જય ભારત વંદે માતરમ...
શિક્ષક ને સમાજ , સરકાર કે તંત્ર સ્વાયત્ત થવા નહીં દે ત્યાં સુધી થઈ રહ્યો વિકાસ....