આ દશા એની એ લો પાછી કરી બેઠા
નામ હૈયે આ ફરીથી કોતરી બેઠા .
છે સમય નાજુક જતો ના જિંદગીમાંથી ,
લાગે છે આદત બનાવી ,ઘા ભરી બેઠા .
અવદશા તો આ નથી ક્યાંથી કરું અફસોસ ,
તે છતાં આ શું અમે ખુદ ખોતરી બેઠા ?
આપનું કારણ નથી ખોટું ,છતાં થાય
કે તમે બોલો આ દિલ મુજ હરી બેઠા .
પ્રેમમાં હાલત બની છે મારી આ દોસ્તો ,
જીવતા જીવત અમે આજે મરી બેઠા .
આ વિરહ ને દૂરી બીજાના પ્રતાપે યાર,
પાડી છે ના ,તે છતાં આંસુ સરી બેઠા.
દિલ સદા માટે દશા આવી નથી ચાહતુ ,
થઇ અસર દિલ પર,તેથી તો ડરી બેઠા .
િજજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ'