મારી હાર્ડ કોપી માં લખાયેલી બુક "સંવેદના નાં સ્પંદન "નેં મળેલાં પ્રતિસાદ માં નાં બે, પ્રતિસાદ, મિત્રો તમારી સમક્ષ રજુ કરીશ.
એંસી વરસ નાં એક અંકલ નો મનેં બુક માં થી નંબર શોધી ફોન આવ્યો,"તમારી બુક નેં હું શ્રીમદ્ ભાગવત ગીતા પછી બીજા ક્રમે રાખું. મેં ઘણાં પુસ્તકો વાંચ્યા છે, પણ, મનેં આ પુસ્તક જેવું હજી કોઈ મળ્યું નથી. મારી ઉંમર પૂછી, અનેં એ જાણ્યા પછી એ વધું આશ્ચર્ય માં પડી ગયાં. બસ, એટલું જ બોલ્યાં, "નાની ઉંમર માં ઘણાં બધાં સારાં ખરાબ અનુભવો પછી જ આવું લખાણ સૌનાં જીવન નેં પીરસી શકાય. "અનેં હું હજી પણ, આશ્ચર્ય માં જ છું. એ વૃધ્ધ છે અનેં વૃધ્ધાશ્રમ માં રહે છે, અનેં એમની તકલીફ માં મારી આ બુક દવા નું કામ કરે છે. આ એમનાં વાક્યો છે.
બીજો અનુભવ, એક વૃધ્ધ સંજોગોવસાત, એમનાં બધી રીતે સક્ષમ દિકરા ની સાથે નથી રહી શકતાં, અનેં એ એકલાં રહે છે. બહું દુઃખી છે, દિકરા નો બંગલો છે, અને, એ એકલાં રહે છે. આ પરિસ્થિતિમાં કોઈ રીતે મારી બુક એમનાં હાથ માં પહોંચી. એકદમ અસ્વસ્થ અનેં જીવન થી એ હારી ગયા હતાં.મારી બુક વાંચ્યા પછી, ફરી જીવવાની ઈચ્છા જાગી છે. હવે, એકલાં પણ, આનંદ માં જીવે છે, ખુશ રહે છે, અનેં મનેં ખુબ ખુબ આશિર્વાદ આપે છે.
બંને સદસ્ય મારી આ બુક નો બીજો ભાગ જલ્દી લખવા માટે મનેં જણાવી રહ્યાં છે.
આ, વાત મિત્રો આપ નેં જણાવી મારી ખુશી અનેં આવાં ઘણાં બધાં વડીલો નાં મનેં ખુબ જ આશિર્વાદ મળ્યા છે, એમાં હું આપ સૌનેં પણ, સાથે રાખવા માંગુ છું. બસ, આપ સૌની મિત્રતાં નેં હું સાચે જ સર્વસ્વ માનું છું....
આભારી છું આપ સૌનાં સાથ ની.... મીસ મીરાં..