અત્યારના જમાનાનો માનવી ચાંદ પર અને મંગળ પર જઈને જીવન ટકાવવાની પેરવીમાં પડ્યો છે કિંતુ માનવીના દિલમાં જવાનુ, પહોંચવાનું જાણે ભૂલી ગયો છે. અત્યારનો માનવી પગમાં કીડી ચગદાઈ જાય તો 'અરરર બિચારી કીડી મરી ગઈ!' એવું વિચારીને નિ:શાસા કાઢે છે કિન્તુ એ જ પગ તળે જો માનવી ચગદાઈ જાય તો ઊભો ઊભો તમાશો જોયા કરે.
છેક સૃષ્ટિના ઉદય કાળથી લઈને આજ લગી સૂર્ય એવો ને એવો જ પ્રકાશે છે. ચાંદલો એવો ને એવો જ ચમકે છે. તારલાઓ એ જ મસ્તીમાં જબક્યા કરે છે. ફૂલો પતંગિયા, વેલ-વેલીઓ, વૃક્ષલતાઓ એ જ મસ્તીમાં રમમાણ છે. કિન્તુ આ માણસ બદલાઈ ગયો છે. આ માણસ પરિવર્તનને નામે પરમાત્માને પ્રિય એવી માણસાઈને ખોઈ બેઠો છે માણસ. તમે બાજ પક્ષીને બીજા બાજ પક્ષીને હણી નાખતા જોયું? સિંહને બીજા સિંહનો શિકાર કરતાં ક્યાંય જોયો? ના, તો પછી માણસ જ માણસનો શિકાર કેમ કરે છે? એનો અંત આવી રહ્યો છે કે શું?
"આ સૃષ્ટિ તો એ જ છે ઉદય કાળથી;
કિન્તુ યુગેયુગે જમાનો બદલાઈ જાય છે!"
-અ.રે.
અધુરા અરમાનો' માંથી..