ક્યારેય કોઈ ગરીબ દેખાય તો જરા પણ તેની મશ્કરી કરતા નહિ!
તમારે કઈ ના આપવું હોય તો ના આપશો પણ તેને બે અપશબ્દ બોલીને ધુત્કારી કાઢશો નહિ.
કારણ કે તે પણ આપણા જેવો એક માણસ જ છે કોઈ જાનવર નથી, સૌ પોતપોતાના નસીબે જીવે છે ગરીબ છે તે તેનું નસીબ છે પણ તેને પણ પોતાની જાતનું સ્વમાન જરૂર હોય ને તમે ભૂલોછો કે ક્યારેક એક ચા વેચનારો પણ દેશનો વડા પ્રધાન થઈ જાય તે કહી શકાય નહિ.
પોતાની ગાડીમાં બેસનારાને પણ એક દિવસ રોડ ઉપર ચાલવાનો વારો ક્યારેક આવી જાય છે.
અભિમાન આવતા પણ વાર નથી લાગતી ને જતાં પણ વાર નથી લાગતી.