ભણતર
“સર પ્લીઝ, મારે પણ એક સવાલ પુછવો છે.” એક પહાડી વિસ્તારમાં આદિવાસી વસ્તીની એક શાળામાં ભુતપુર્વ રાષ્ટ્રપતિ સર એ.પી.જે.અબ્દુલ કલામસાહેબને ઘેરીને ઉભેલા ચોથા ધોરણના વિદ્ધાર્થીઓમાં એક બાળક બોલ્યોં.કલામસાહેબે એનો હાથ પકડી કહયું “પુછ બેટા.” “સર, તમે રાષ્ટ્રપતિ બનવા માટે શું ભણ્યાં?” બાળકે પુછયું.
કલામસાહેબ પલાઠી વાળી નીચે બેસીને બોલ્યાં “ઘણું બધું ભણ્યોં બેટા.પણ સૌથી પહેલો અને જીવનભર યાદ રાખેલો પાઠ આપણી પ્રતિજ્ઞા છે.
એમાં પણ છેલ્લી બે પંકતી કે હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પું છું.
તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારૂં સુખ રહ્યું છે.આ છે સૌથી જરૂરી ભણતર.”
--જયહિન્દ સાથ ભરત મારૂ