તાત્વિક વિચારધારાનો એ અર્થ નથી કે વ્યક્તિ સંસાર છોડીને સાધુ બની જાય. કૃષ્ણ પોતે અવતાર હતા તો પણ એમણે મુત્સદીગિરી પણ કરેલી ને લીલાઓ પણ કરેલી, એ પૂર્ણ સંસારી યોગી હતા. તો કળિયુગનો માણસ સંસારી તો હોવો જ જોઈએ ને. સંન્યાસનો એ અર્થ નથી કે તમે બધું ત્યાગીને જંગલમાં જતા રહો, અથવા તો આનંદ કરવાનું છોડી દો, મન વચન કર્મથી લેપાયા વિના કરેલું કર્મ યોગ જ છે. તમે કોઈને કનડતા ન હો તો તમે મનથી સંત જ છો, ને મનથી કોઈનો છૂપો તેજોદ્વેષ કરો તો બહાર ગમે એટલા સાત્વિક હોવ વિકૃત જ છો. કળિયુગનો પ્રતાપ છે કે બહાર જે દેખાવ હોય તેવો વ્યક્તિ અંદરથી નથી હોતો. એ પોતાનાને જ હેરાન કરીને ખુશ થતો હોય છે, આવા બહારથી સાત્વિક માણસો કરતા, પેલા મવાલીઓ સારા અંદરથી અને બહારથી સરખા તો છે...