અહીં કોઈ કોઈને પૂછતું નથી,
એ તો કરે પોતાની મનમરજીનું,
પહેલા કહે, “આવ ભાઈ, આવ,”
પછી તો કરે પોતાની વાતનું,
જ્યાં સુધી કામ હોય ત્યાં સુધી,
એ તો વિચારે પોતાનાં સ્વાર્થનું,
હા, સુખમા તો કેવા સાથે રહે,
પછી તો હાલ ના પૂછે દુઃખનું,
અજબ દુનીયાની વાત છે આ,
કરે તો એ પોતે ને ચૂકવે બીજાનું.
મનોજ નાવડીયા