૫૦૦ વાત નો એક સાર ,
તમને કોઈ પણ ક્રિયા માં મજા આવે છે અને તેના દ્વારા તમારા અને અન્ય ના જીવન નો વિકાસ શક્ય છે.. તો એ જ કાર્ય આ કુદરત માં કરવા યોગ્ય છે. સમષ્ટિ નુ ક્ષેમ અને સ્વ ની ખુશી.. આ બન્ને નો યોગ જ સંતોષ અને સમૃદ્ધિ છે.. કૃષ્ણ એને અકર્મ કહે છે.
વિચારો,કર્મ અને સંગત માં સૌથી કષ્ટદાયક સંગત છે,જો એ ખોટી મળે તો અપમાન,કાયરતા,અપકીર્તિ બધું જ પ્રાપ્ત થઈ જાય.. અર્જુન ને નાજુક પળો માં યુદ્ધ ની વચ્ચે જ્યારે એની સ્થિતિ બગડી ત્યારે કૃષ્ણ ની સંગત મળી. અને દુનિયા ને ગીતા મળી... આમ ખોટા સમયે સાચી સંગત જગત ની દિશા બદલી નાખે છે.. અને સાચા સમયે ખોટી સંગત જીવન ની દિશા બદલી નાખે છે..