માનવજીવમાં બુદ્ધિ આવી એટલે તે “બુદ્ધિજીવ” તરીકે ઓળખાયો. પરંતુ ઘણાં મનુષ્યો આ બુદ્ધિની સાચી શક્તિને ઓળખી શક્યાં નથી, જ્યારે કેટલાક લોકોએ તેનો સદુપયોગ કરીને પોતાના જીવનને સફળ અને અર્થપૂર્ણ બનાવ્યું છે.
આ કળીયુગમાં જીવન જીવવું અઘરું છે, પણ સારુ જીવન જીવવું એ પણ ખૂબ અઘરું બન્યું છે. આ સમયે મનુષ્ય બીજાનું હિત થાય એવું કદી ઈચ્છતો નથી.
આ બુદ્ધિશક્તિનો ઉપયોગ માત્ર પૈસા કમાવવા, પોતાનું બળ કે તાકાત વધારવા અથવા તેનો દેખાડો કરવા માટે નથી, કારણ કે સમયના અંતે આ બધું નિષ્ફળ સાબિત થાય છે.
વાસ્તવમાં બુદ્ધિનો સાચો ઉપયોગ પોતાને શ્રેષ્ઠ મનુષ્ય બનાવવાનો હોવો જોઈએ.
હંમેશા મારા દાદા સાથેની મુલાકાત મારા વિચારો અને કર્મોને વધુ મજબૂત બનાવે છે. તેમણે આખું જીવન કોઈ જીવને હાનિ ના પહોંચે એ રીતે જીવ્યું છે અને સદાય સારો અને સાચો માર્ગ અપનાવ્યો છે.
તેમનું જીવન આજે પણ મને સાચી પ્રેરણા અને રાહ દેખાડતું રહે છે.
મનોજ નાવડીયા