કે જરૂર નથી મને રખડવાની હું હજુયે કામધંધે છું,
એટલે મારો ઈશ્વર મને કાયમ છલોછલ રાખે છે.
કે બસ માથું નમે છે શિવચરણોમાં આશીશ લેવા,
કારણ મારાં આંસુ પણ શિવ અદશ્ય રાખે છે.
કે હવે હું લાગણીઓના દરિયામાં રહી લઉ છું,
કારણ માં નું હુંફ ભરેલું આંચલ મને જીવતું રાખે છે.
કે બને છે જેનું દિલ અધૂરું અને વિહલ આ સફરમાં,
એ જ સફર તો માણસ ને માણસ બનાવી રાખે છે.
કે ભલેને વહે છે જીવનમાંથી પીડાની નદીઓ,
ત્યાં પણ શિવ મારો પીડા ઠેલવા એક દરિયો રાખે છે.
કે જીવન આખું મથીશ હજુયે કમાવાની લાલચમાં,
બસ આવતો પગાર મને ખુશખુશાલ રાખે છે.
કે વાત ન થાય મારી પરિસ્થિતિની કેમ રહું છું હું,
હવે શબ્દો કરતા વધુ હાથ મારાં સંકેત રાખે છે.
કે હવે અહમ ના પંથે ન જઈ શકાય મારે કદી,
સમાજ મને નમ્ર લેખકની ગણતરી માં રાખે છે.
મકતા:
કે હું રડી ન શકું હવે કારણ કલમ મને લખતો રાખે છે,
એટલે તો શિવ આ સંકોચિત હ્દયને ધબકતું રાખે છે.
Dr. Kirtan Chheta ✍🏻