ગઝલ : હું અને મારું મૌન
મત્લા
મૌન મારું બોલે સત્યની વાણી સદા,
દુનિયા સમજે એને અભિમાની સદા.
શેર
શબ્દોના ઘોંઘાટમાં ખોવાય જાય છે સત્ય,
એટલે તો મૌનમાં શોધું હું નિશાની સદા.
પ્રેમની વ્યાખ્યા ના પૂછો મારા હોઠથી,
આંખની ભીનાશમાં વહે છે કહાની સદા.
કોઈના ઘા પર મલમ બની જાય છે મૌન,
કરુણાનો દરિયો છે મારા અંતરમાં પાણી સદા.
લોક કહે છે 'બોલ, તું કાયર છે શું?',
હું તો સાંભળું છું સૌની દર્દ-દાસ્તાની સદા.
જવાબ દેવાનું કામ શબ્દોનું છે જગતમાં,
મારે તો મૌનથી જ કરવી છે મહેરબાની સદા.
મક્તા
'સ્વયમ્'ભૂ'ને શબ્દોની જરૂર નથી હવે,
મૌનથી જ લખાય છે એની જિંદગાની સદા.
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"