પ્રેમમાં સૌથી ખરાબ અનુભવ એ હોય છે,
જ્યારે અચાનક તમને એ સચ્ચાઈ સમજાય...
કે જેને ગુમાવાની તકલીફમાં તમે તૂટી પડ્યા હતા,
એજ વ્યક્તિ તમારી ગેરહાજરીમાં હસે છે —
અને પોતાનો ખાલીપો કોઈ બીજાની સાથે પૂરતો કરે છે.
પ્રેમ કે તેનું દુઃખ તે પાત્ર સિવાય બીજા કોઈપણ સાથે વહેંચી ના શકાય કેમકે ...
પ્રિય પાત્રનો ખાલીપો કોઈ ત્રીજી વ્યક્તિ તેના સિવાય પૂરી નથી શકતી..
સાચો પ્રેમ તે જ પાત્ર સાથે જોડાયેલા રહી વફાદાર રહે છે..
વ્યક્તિ ની હાજરી ગેરહાજરી કે ગેમતેવા વર્તન કરવા છતાં.. બીજે વહેચાય એ તો પ્રેમ હતો જ નહીં
સંબંધોમાં વિચારોનું ભિન્ન થવું સામાન્ય છે.
એક એવો પ્રેમ કે જેમાં ગુસ્સો, રોષ, ફરિયાદો કે દુઃખ વહેંચાય નહીં —
એ પ્રેમ સાચો બની શકે નહીં.
પણ જો તમારું જ કોઈ,
તમાથી દૂર જઈને શાંતિ કોઈ બીજામાં શોધવા લાગે...
કોઈ બીજાને સમય આપવા લાગે,
અને નવી યાદગીઓ પણ કોઈ બીજાની સાથે બનાવા લાગે —
તો સમજજો,
કે તમે એની માટે કદી ખાસ હતા જ નહીં.
કદી થયા જ નહોતા...