The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કાવ્ય શિર્ષક: કંઈક શોધ તું કંઈક, જાણ તું કંઈક, વિચાર તુ કંઈક, કર તુ કંઈક, છોડ તુ કંઈક, આપ તુ કંઈક, ઓળખ તું કંઈક, પરખ તું કંઈક, મૌન તુ કંઈક, સમજ તું કંઈક, જીવન તું કંઈક, સત્ય તું કંઈક. મનોજ નાવડીયા
હું પણ ખોટો સાબિત થયો છું ઘણી વાર, ભૂલનો સ્વીકાર કરી સાચો રસ્તો શોધ્યો છે. મનોજ નાવડીયા
પુસ્તકાલય, A lifeclean bath પહેલો પડાવ: જો જીવના અંત:કરણને શુદ્ધ કરવું હોય તો પુસ્તકાલયમા જરૂર જાવ..... ત્યાં બેસો, અનુભવો, વાંચો, ઉતારો અને અંત:કરણને શુદ્ધ કરો.. (આજનાં સમયની સાચી શાંત જગ્યા) બીજો પડાવ: શુદ્ધ અંત:કરણથી શુદ્ધજ સત્કર્મ કરવાનો પ્રયત્ન કરો.. જો પ્રયત્ન સફળ ના થાય તો પહેલો પડાવ વ્યર્થ બને છે. પણ સતત પ્રયત્નશીલ જીવ પહેલો પડાવથકી બીજાં પડાવમા સફળ થાય છે. મનોજ નાવડીયા #Library #read #dogood #manojnavadiya
કાવ્ય રચના મનોજ નાવડીયા
સુખમાં આનંદ કરે, દુઃખમાં એ રડે, મતલબ એમ એણે હજી કઈ જાણ્યું નથી, કડવા શબ્દો બોલે, ગળ્યામાં એ ઉણપ, મતલબ એમ એણે હજી કઈ વિચાર્યું નથી, ઝડપથી દોડતો ફરે, ધીરજમાં એ ખૂટે, મતલબ એમ એણે હજી કઈ ચાલ્યો નથી, ખોટું કરતો રહે, સાચાંમાં એ થાકે, મતલબ એમ એણે હજી કઈ ઉતાર્યું નથી, જ્ઞાનની વાતો કરે, અહંકારમાં એ પડે, મતલબ એમ એણે હજી કઈ જીવ્યો નથી. મનોજ નાવડીયા
માણસને જોઈએ વધારે એને એ કંઈ મળતું નથી, હાથમાં જે મળ્યું છે તેનું મૂલ્ય એને કંઈ ભાસતું નથી, સપનાઓના ભાર નીચે શ્વાસ પણ ભારે બન્યો છે, અપેક્ષાઓના ભારથી આ મન કદી હળવું થતું નથી, દૂર દૂર સુધી શોધે છે સુખ રેતીના પાકાં મકાનોમાં, પોતાની અંદરના પ્રકાશને એ ઝળહળાવતો નથી, સમય સરકી જાય છે મુઠ્ઠીમાં રહેલી રેતી સમો, પછી રઝળી ગયેલી પળો કંઈ પાછી મળતી નથી, થોડો ઊભો રહી જોઈ લે પોતાના મનની અંદર, બહાર જે શોધે છે એ બહાર ક્યાંય મળતું નથી, થોડી ઇચ્છાઓ પણ છોડે ત્યારે સમજાશે જીવન, સંતોષ વિના આ જગતમાં કોઈ સુખ ટકતું નથી. મનોજ નાવડીયા #manojnavadiyapoetry #kavita #poem #manojnavadiya #manojnavadiyabooks #life #lifelessons #nature #universe #knowyourself #goodvibes #doggod
કશુંય તારું ન હોવા છતાં એ બધું ઈચ્છે છે, ઈચ્છાઓ થકી પોતાને જ બંધનમા બાંધે છે, જાણે છે થોડું ઘણું સત્ય છતાં આચરતો નથી, આચરણ વિના જગમાં એ કઈ જ પામતો નથી, માયાના બંધનમાં ફૂદડી ફરતો રહે છે માણસ, પોતાની જ સાચી ઓળખને એ ખોજતો નથી, મુક્તિ કયાં દૂર છે? એનો પણ એક ઉપાય છે, જાણેલું જીવમાં ઉતારે તો દીવો સ્વયં પ્રગટે છે. મનોજ નાવડીયા
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser