Quotes by મનોજ નાવડીયા in Bitesapp read free

મનોજ નાવડીયા

મનોજ નાવડીયા Matrubharti Verified

@manojnavadiya7402
(818.4k)

જીવવા માટે કૈઈક તો જોઈએ,
પ્રેમનો અનન્ય ભાવ જોઈએ,

શરીર હોય તો અન્ન જોઈએ,
મન હોય તો વિચાર જોઈએ,

હૃદયનાં ખૂણે કરુણા જોઈએ,
વિચારોમાં એક સત્ય જોઈએ,

સંબધોમાં અતૂટ વિશ્વાસ જોઈએ,
વર્તનમાં મોટી નમ્રતા જોઈએ,

સપનાઓને ઊંચી પાંખો જોઈએ,
માર્ગમાં ધીરી ચાલ જોઈએ,

સુખમાં સંયમનો શ્વાસ જોઈએ,
દુઃખમાં હિંમતનો પ્રકાશ જોઈએ,

જીવવા માટે કૈઈક તો જોઈએ,
માણસમાં એક માનવતા જોઈએ.

મનોજ નાવડીયા

Read More

કઈ મન નથી, કઈ રસ નથી,
કઈ સુખ નથી, કઈ દુઃખ નથી,

ભીડમાં નથી, એકલો નથી,
ભુખ્યો નથી, તરસ્યો નથી,

વાણી નથી, મૌન નથી,
રસ્તો નથી, લક્ષ્ય નથી,

શૂન્ય નથી, અનંત નથી,
અંધકાર નથી, પ્રકાશ નથી,

ખોવાણો નથી, મળ્યો નથી,
છૂટ્યો નથી, બંધાણો નથી,

તું પ્રત્યક્ષ નથી, તું હાજર નથી,
તું મધ્યમાં છો, તું મધ્યમાં છો,
તું સત્ય છો, તું સત્ય છો,
પણ હું અજાણ, અજાણ છું.

મનોજ નાવડીયા

Read More

હંમેશાં શાંત બન,
થોડો શબ્દોમાં સંયમ બન,
થોડો સ્વભાવમાં મીઠાસ બન,
થોડો દોડવામાં વિરામ બન,
થોડો વિચારોમાં ઊંડાણ બન,
થોડો સંબંધોમાં વિશ્વાસ બન,
થોડો પોતાનામાં સમજ બન,
થોડો જીવનમાં સમતોલન બન

મનોજ નાવડીયા

Read More

દવા બની જા,
સહારો બની જા,

એકલો હોય જે,
એનો સાથી બની જા,

નિરાશા ઘેરાય જેને,
એને આશા આપી જા,

રડતું હોય જે મન,
એને હસાવી તું જા,

અંધકારમાં જે ખોવાયો,
એને પ્રકાશ પાથરી જા,

થાકયું છે જેનું જીવન,
એનો આશરો બની જા.

મનોજ નાવડીયા

Happy poetry day..

#manojnavadiyapoetry #manojnavadiyabooks #manojnavadiya #kavita #goodthinking #poem #heetkari #vishvkhoj #vishvyatri #happypoetryday #poetrtday

Read More

સ્મિતનો ઉમળકો ચહેરા પર રાખતો ફરે,
જવબદારીનો ભાર મનમા ફરતો રહે,
કેવો એ પિતાનો અદ્રશ્ય ભાવ ફરે,
ઘરને સુખી રાખવાં પરસેવો પાડતો રહે..

મનોજ નાવડીયા

#father #pitaji #papa #manojnavadiya #manojnavadiyapoetry #manojnavadiyabooks #vishvyatri #vishvkhoj #heetkari #saravichar #maravichar #marivat #goodthinking

Read More

રોજ રોજ હળવું સ્મિત લઈને આવે છે
આંખના રુદનથી મને છૈતરવા આવે છે.
-મનોજ નાવડિયા

#love #literature #suvichar #morning #shayari

https://www.instagram.com/reel/DVU39tIDE1u/?igsh=eTFkeWMzMXlpNTR1

Read More
epost thumb

कैसी जिंदगी, वो मुझे देखे, मैं उसको देखु..

मनोज नावडीया

મનુષ્યને વળાકો ગમતાં નથી, સીધા રસ્તાઓ વઘારે ગમતા હોય છે.
પણ આપણે જેવું વિચારીએ એવું જ થાય એવું કદીય વિધાતા કરતું નથી...

મનોજ નાવડીયા

#maravichar #saravichar #marivat #manojnavadiya #manojnavadiyabooks #manojnavadiyapoetry #goodthinking #goodthoughts

Read More