The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
અગત્ય : બધાં ફૂલો સુગંધ નથી આપતા. કેટલાક પોતાની સુંદરતાથી તો કેટલાક પોતાની કોમળતાથી મનને પ્રસન્ન કરી દે છે. જીવનમાં પણ એવું જ છે. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ વિશેષતા છુપાયેલી હોય છે. કોઈના શબ્દો, કોઈના કર્મો, કોઈના સ્વભાવ તો કોઈની નિઃસ્વાર્થ લાગણીઓ બીજાના જીવનમાં સુગંધ ભરી દે છે. એટલે કોઈની સરખામણી કરતાં પહેલાં તેની અંદરની ખાસિયતને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે દરેક વ્યક્તિનું પોતાનું એક અલગ અગત્ય (મૂલ્ય) હોય છે. મનોજ નવડીયા
દુનિયાની દોડમાં ખોવાઈ જાય, સપનાની શોધમાં થાકી જાય, નામ-પ્રતિષ્ઠામાં ભટકી જાય, પણ અંતે તો શું થાય? હા, અંતે તો મળે એક જ જવાબ, સુખના સરનામે એક ઘર મળી જાય, સફળતાના શિખરો પર પહોંચી જાય, એક ખાલીપો મનને કોરી ખાય, અંતે થાકી ગયેલા પગલાં કહી જાય, “ચાલ, હવે ઘરે પાછાં જઈએ...” મનોજ નાવડીયા
જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ, અવરોધો કે બંધનો આવે, છતાં આ જીવે હાર માન્યા વગર પોતાની મહેનત અને હિંમતથી આગળ વધવાની પ્રતિજ્ઞા કરવી જોઈએ. જેમ નાનુ બીજ કઠણ પથ્થરની તિરાડમાંથી પણ બહાર નીકળીને સૂર્યપ્રકાશ તરફ આગળ વધે છે, તેમ માણસે પણ મુશ્કેલ પરિસ્થિતિઓને હરાવીને પોતાના સપનાઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. મુશ્કેલીઓ કેટલીય મોટી હોય, પરંતુ જો જીવવાની જીદ અને આત્મવિશ્વાસ હોય તો રસ્તો જરૂર બની જાય છે. જીવન જીવવાની મેં જીદ પકડી છે, આમ પથ્થર તોડી બહાર થોડો નીકળું. મનોજ નાવડીયા #try #life #સારાવિચાર #મારાવિચાર #મારીવાત #manojnavadiya #manojnavadiyabooks #manojnavadiyapoetry #goodthinking #goodvibes #maravichar #marivat #saravichar
આ ગુફ્તગુ, ગુફ્તગુ કેવી ચાલી રહી છે, ક્ષણમાં ક્ષણમાં આનંદ વ્યાપી રહ્યો છે, શબ્દોમાં પણ લાગણીઓ મહેકી રહી છે, મૌનમાં પણ કોઈ વાત સંભળાઈ રહી છે, નજરોથી નજરોની મુલાકાત થઈ રહી છે, હૃદયમાં ધીમે ધીમે વસંત ખીલી રહી છે, સમયને થોભવાની ઇચ્છા થઈ રહી છે, દરેક પળ જાણે તારી યાદ બની રહી છે, દૂર રહીને પણ તારી નિકટતા વધી રહી છે, કોઈ અજાણી લાગણી ઓળખાઈ રહી છે, આ ગુફ્તગુ, ગુફ્તગુ કેવી ચાલી રહી છે, ક્ષણમાં ક્ષણમાં આનંદ વ્યાપી રહ્યો છે. મનોજ નાવડીયા
બધી જ વ્યથાઓ મારે ભાગે જ આવે છે, એક હોત તો માનું, અહીં અગણિત આવે છે, સ્મિતની પાછળ આંસુઓને સંતાડતી આવે છે, જિંદગીના રસ્તે હવે કસોટીઓ ઘણી આવે છે, હવે તો એ ગળા સુધી પહોંચવા પણ આવે છે, શું એ મારા જીવનને ખરેખર રોકવા જ આવે છે? તૂટ્યો નથી હું, બસ થોડો સમય નીચે નમ્યો છું, રાખ બનીને પણ ફરી અગ્નિ સામે ટકી રહ્યો છું, સમયના પ્રહારો સામે હજુયે હું કેમ હાર્યો નથી? કારણ કે વ્યથાઓ પાછળ નવી સવાર આવે છે. મનોજ નાવડીયા https://www.instagram.com/p/DaZrsogPhV_/?igsh=b2R2Y2wycmJ4aTZw
માનવજીવમાં બુદ્ધિ આવી એટલે તે “બુદ્ધિજીવ” તરીકે ઓળખાયો. પરંતુ ઘણાં મનુષ્યો આ બુદ્ધિની સાચી શક્તિને ઓળખી શક્યાં નથી, જ્યારે કેટલાક લોકોએ તેનો સદુપયોગ કરીને પોતાના જીવનને સફળ અને અર્થપૂર્ણ બનાવ્યું છે. આ કળીયુગમાં જીવન જીવવું અઘરું છે, પણ સારુ જીવન જીવવું એ પણ ખૂબ અઘરું બન્યું છે. આ સમયે મનુષ્ય બીજાનું હિત થાય એવું કદી ઈચ્છતો નથી. આ બુદ્ધિશક્તિનો ઉપયોગ માત્ર પૈસા કમાવવા, પોતાનું બળ કે તાકાત વધારવા અથવા તેનો દેખાડો કરવા માટે નથી, કારણ કે સમયના અંતે આ બધું નિષ્ફળ સાબિત થાય છે. વાસ્તવમાં બુદ્ધિનો સાચો ઉપયોગ પોતાને શ્રેષ્ઠ મનુષ્ય બનાવવાનો હોવો જોઈએ. હંમેશા મારા દાદા સાથેની મુલાકાત મારા વિચારો અને કર્મોને વધુ મજબૂત બનાવે છે. તેમણે આખું જીવન કોઈ જીવને હાનિ ના પહોંચે એ રીતે જીવ્યું છે અને સદાય સારો અને સાચો માર્ગ અપનાવ્યો છે. તેમનું જીવન આજે પણ મને સાચી પ્રેરણા અને રાહ દેખાડતું રહે છે. મનોજ નાવડીયા
એવું ગજું નહીં હું કોઇને ન્યાય આપી શકું, પણ અહીં તો જન ન્યાય આપવા બેઠું છે, સાથની વાત તો છોડો એ તો સામું થયું છે, ડગલનેને પગલે એ મને પછાડવા બેઠું છે, મૌન રહીને પણ હું સાચો રસ્તો શોધું છું, અહીં તો દરેકજણ મને સમજાવવા બેઠું છે, સાચી લાગણીઓની અહીં કોઈ કિંમત નથી, દરેક ચહેરાઓ ફક્ત નાટક દેખાડવા બેઠું છે, મારી જીતથી નહીં મારી હારથી ખુશ છે, આ જગત તો મને તૂટતુંજ જોવા બેઠું છે, હું ઉભો છું હજુ પણ મારી જાત સાથે, બાકી બધાં તો મને એકલો પાડવા બેઠું છે. મનોજ નાવડીયા #manojnavadiyapoetry #manojnavadiyabooks #manojnavadiya #kavita #poem #poetry
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Nichetech.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser