Quotes by મનોજ નાવડીયા in Bitesapp read free

મનોજ નાવડીયા

મનોજ નાવડીયા Matrubharti Verified

@manojnavadiya7402
(210.1k)

Vishv yatri book available at J D Gabali library, Surat

#vishvyatri

પ્રિય મિત્રો અને સ્નેહીજનો,

ના થોભે આ મન, ના થોભે આ સમય,
બંન્ને ચાલે અદ્રશ્ય, કેવાં અવિરત યાત્રીઓ.

આપણે બધાં જ અહીં એક વિશ્વ યાત્રી છીએ અને આપણે એક જીવનયાત્રા કરી રહ્યાં છીએ. આપણી આ જીવનયાત્રા સંઘર્ષોથી ભરેલી છે. આ યાત્રામાં મનુષ્યનો જન્મ થાય, બાળપણથી યૌવન બંને, યૌવનથી ઘડપણ આવે અને ઘડપણ સાથે મુત્યુ આવે, એમ એ બધાં જ સમયમાંથી પસાર થાય છે. આ યાત્રામા મનુષ્ય પોતાની જાતને સર્વોચ્ચ શિખર પર પહોંચાડવાની કોશિશ અને મથામણ કરતો હોય છે. ઘણીવાર મનુષ્ય સફળ થાય તો અસફળ પણ થાય છે, સુખ મળે તો દુઃખ પણ મળે છે, સાચું કર્મ કરે કાં તો ખોટું કર્મ પણ કરે, પણ આ બધામાંથી એક નવો અનુભવ, નવું જ્ઞાન અને નવી શીખ લઈને સતત આગળ વધતું રહેવું જોઈએ એ જ સાચો વિશ્વ યાત્રી છે.

આ પુસ્તકનાં બધાં જ પ્રકરણ મનુષ્યને એક જીવનયાત્રા કરાવે છે. જેમા મનુષ્યને કૈઈક ને કૈઈક થોડુંક કે વધારે શીખવા, જાણવાં અને સમજવાની પ્રેરણા મળશે. આ પુસ્તક “વિશ્વ યાત્રી”માં ૩૦ પ્રેરણાત્મક લેખો અને લઘુ વાર્તાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. જેમ મરજીવા દરિયામા ઊંડે સુંધી જઈને સાચાં મોતીઓ શોધીને લઈ આવે છે, એમ‌જ આ મનુષ્ય‌ પણ પોતાના‌ મનને આ પુસ્તકનાં પ્રકરણોમાં ઊંડે સુધી ઉતારશે તો એને પણ જીવન જીવવાની કંઈક નવી રાહ અને પ્રેરણા મળી આવશે.

ઘણાં મનુષ્ય સત તો જાણે છે, પણ એના તરફ પગ નથી માંડતા. પણ એક પ્રયત્ન કરવાથી એ જરૂર સફળ થાય છે.

મને આશા છે કે આ પ્રેરણાત્મક લેખો અને લઘુ વાર્તાઓનો રસથાળ તમને જરૂર ગમશે !

પુસ્તક: વિશ્વ યાત્રી, 'એક જીવનયાત્રા'
લેખક : મનોજ નાવડીયા (Manoj Navadiya)
પ્રકાશક : શ્રી મહેન્દ્રભાઈ પી. શાહ & શ્રી રોનકભાઈ શાહ
નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ
પુષ્ઠ સંખ્યા : ૧૧૮
કિંમત: ₹ ૨૨૫/-

પુસ્તકનું સરનામું :
Website: https://navbharatonline.com/authors/manoj-navadiya/vishvayatri-ek-jivanyatra-sukhne-kyan-shodhva-jau-e-to-saran-karmoman-chhupaine-bet.html
Amazon: https://amzn.in/d/fuuiodn
Google Play book : https://play.google.com/store/books/details?id=kbZ4EQAAQBAJ
Wats up & Mo. 8000056148

ખૂબ ખૂબ આભાર,
મનોજ નાવડીયા
Manoj Navadiya

Read More

છેતરી રહ્યો છે,
કેમ, પણ કોને એ,

ચાલાક બન્યો છે,
કેમ, કયાં સુધી એ,

મોટો બની ગયો,
કેમ, પણ કયારે એ,

ખરેખર શું એ બીજાને ?
કેમ, પણ જાતને નહીં એ..

મનોજ નાવડીયા

Read More

જેનું મન નિર્મળ છે,
મેલું નથી, સાફ છે,
એ જ સત્કર્મ કરે છે,
એની પાસે જ ઈશ્વર રહે છે..

મનોજ નાવડીયા

કવિતા શીર્ષક: જીંદગી


કોઈની જીંદગી થાકી છે,
તો કોઈની જીંદગી દૌડી છે,

રસ્તાઓ વચ્ચે ઉભી રહી છે,
લક્ષ્ય શોધતાં ચાલી પડી છે,

કોઈની જીંદગી અમીર બની છે,
તો કોઈની જીંદગી ગરીબ બની છે,

ક્યારેક મનભરી શાંત બેઠી છે,
ક્યારેક વમળો વચ્ચે ફેરાફરી છે,

કોઈને ખૂબ ખૂબ હસાવે છે,
તો કોઈને થોડી રડાવે છે,

બેઉની વચ્ચે જે મધ્યમાં ઊભા છે,
એને જીંદગીની સમજ ખરી પડી છે.

મનોજ નાવડીયા

Read More

જીવન સરળ નીકળ્યું,
પણ આ માણસ નહિં,

દૌલત, હીરા, પૈસા,
રૂપનો પણ લોભી,
પાછળ તો કેવો દોડે,

રાખે છે એ,
દૌલતને તું મુઠ્ઠીમાં,
ખૂબ જકડી રાખ્યું,
શુ ખરેખર તારુ જ છે ?

જાણી ગયો તોય,
સાચું લક્ષ્ય કેમ ભટક્યો,

કુદરતનો ખોબો ખુલ્લો,
જોઈ લે તું આકાશમાં..

મનોજ નાવડીયા

Read More

સ્વાદ હવે કેમ મોળો થઈ ગયો,
કે પછી હું જ ક્યાંક મોળો બની ગયો?

ધબકતું જીવન કેમ નિરાશ થઈ ગયું,
કે પછી હું જ ક્યાંક નિરાશ બની ગયો?

મળેલું બધું જ કેમ મૌન થઈ ગયો,
કે પછી હું જ ક્યાંક મૌન બની ગયો?

અજવાળામાં પણ અંધારું કેમ થઈ ગયું,
કે પછી હું જ ક્યાંક અંધારું બની ગયો?

હોય સાચું પણ કેમ રહસ્ય બની ગયું,
કે પછી હું જ ક્યાંક રહસ્ય બની ગયો?

મનોજ નાવડીયા

Read More