જો તું વરસાવે લાગણી ના નીર તો નદી બની બે કાંઠે વહેવું છે
બની જા તું સ્નેહ નો સાગર તો સરિતા બની તારા ખોળે રમવું છે
બને જો તું વહાલપ નો દરિયો તો અમી વાદલડી બની તારામાં જ વરસવું છે
બને જો તું રત્નાકર તો મરજીવો બની તને જ શોધ્યા કરવું છે
મારા અસ્તિત્વ ની શું વિસાત છે તારો છું ને તારા માં જ ભળવું છે