સૂર્યાસ્ત થાય એટલે ઝાડના,
પાન બીડાઈ જાય છે.
સૂર્યની હાજરીમાં ખીલતા,
ફૂલ કરમાઈ જાય છે.
પક્ષીઓ પોતાના માળામાં,
આવી જાય છે.
પાલતુ પશુઓ પોતાના ખીલે,
આવીને ઊભા રહી જાય છે.
કારણ કે આ બધા પ્રકૃતિના,
નિયમ ના આધારે ચાલે છે.
આમાં ઇન્સાન અપવાદ છે
સાંજ થાય એટલે બારે,
ફરવા નીકળી જાય છે.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "