માનવથી માનવનાં મન જોડી બતાવો.
નફરતના સેતુને કોઈ હવે તોડી બતાવો.
નથી જુદા આપણે કોઈ એકબીજાથી,
જુદાઈની ભાવનાની વાત છોડી બતાવો.
સ્નેહસરિતા પરસ્પર વહેતી થવી જોઈએ,
લાગણીને માણસાઈ વર્તને થોડી બતાવો.
નથી ભેદ શરીર રચનામાં ઈશ્વરે રાખ્યો,
જાગ્યે સવાર ગણીને મોડીમોડી બતાવો.
વેર,વૈમનસ્ય,મતભેદ સૌએ ભૂલવા ઘટે,
સંકીર્ણતાની શિરમટુકીને ફોડી બતાવો.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.