Gujarati Quote in Thought by Pandya Ravi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*મહાયોગી શ્રી અરવિંદ ઘોષ*
૫ ડિસેમ્બર ~ પુણ્યતિથિ🧘‍♂️🪔🧘‍♀️

🔸️કોલકત્તામાં જન્મ
🔸️તેમના પિતાજીએ તેમને ૭ વર્ષની ઉંમરે ઈંગ્લેન્ડ ભણવા મોકલ્યા હતા.
🔸️તેઓ માત્ર *૧૮ વર્ષની ઉંમર* માં *આઈસીએસ પરીક્ષા પાસ કરેલ*...👌
🔸️આઈસીએસ પરીક્ષા બાદ ઘોડેસવારીની પરીક્ષા બ્રિટિશ સરકારમાં અધિકારી બનવા આવશ્યક. પણ તેમને *અંગ્રેજોની ગુલામી ન કરવી પડે માટે ઘોડેસવારીની પરીક્ષા ન આપી*👌 અને *રાષ્ટ્રસેવાના જીવનવ્રતને જીવનમાં સ્વીકાર્યું*🧘‍♂️.
🔸️તેમની પ્રતિભાથી વડોદરા નરેશ શ્રી સયાજીરાવ અત્યાધિક પ્રભાવિત હતા. તેથી તેમણે તેમના રાજ્યમાં અરવિંદ ઘોષને *શિક્ષણશાસ્ત્રી* તરીકે નિયુક્ત કરેલ.
🔸️વડોદરા રાજ્યમાં તેમણે રાજ્યની *સેનામાં ક્રાંતિકારીઓને પ્રશિક્ષણ અપાવ્યું*🕺. હજારો યુવકોને તેમને ક્રાંતિની દીક્ષા આપી હતી.👏🏻
🔸️બંગ-ભંગના વિરોધમાં તેમણે ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી
🔸️અરવિંદ ઘોષે કિશોરગંજમાં *સ્વદેશી આંદોલન* નો પ્રારંભ કરેલ.
🔸️તેમણે *વંદે માતરમ્ પત્રિકા* નું પ્રકાશન શરૂ કરેલ.
🔸️ *બ્રિટિશ સરકાર તેમના ક્રાંતિકારી વિચારો અને કાર્યોથી ખૂબ જ આતંકીત હતી*. અંગ્રેજોએ ચાલીસ યુવકો સાથે અરવિંદ ઘોષની ધરપકડ કરી અલીપુર જેલમાં કેદ કરેલ. ઈતિહાસમાં આ *અલીપુર ષડ્યંત્ર કેસ* તરીકે જાણીતું બન્યું.
🔸️૧૪ વર્ષ બાદ જ્યારે હિન્દુ ભૂમિ પર પહેલો પગ અરવિંદ ઘોષે મુક્યો ત્યારે થયેલ અનુભૂતિ જણાવતાં કહે છે, *"...આ સ્થૂળ અવકાશમાં અનંતરૂપ પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત રહેલો છે. તેમજ સર્વવ્યાપી પરમાત્મા સ્થૂળ પદાર્થોમાં અને શરીરોમાં વાસ કરી રહેલો છે."*

☀️....*હિન્દુત્વ-એકાત્મ દર્શનના મહાયોગી, આધ્યાત્મિક વિભૂતિ, ક્રાંતિકારી, કવિ શ્રી મહર્ષિ અરવિંદ ઘોષની પુણ્યતિથિએ આપણે સૌ રાષ્ટ્રહિત જીવન સમર્પિત કરવાનો સંકલ્પ કરીએ.*🌸🌸🌸

ગમે તો આ.... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏

Gujarati Thought by Pandya Ravi : 111907745
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now