લાલ બહાદુર શાસ્ત્રી જયંતીની શુભકામના
કદ નાનું ને મહત્વકાંક્ષા જેની ઊંચી હતી;
એટલે જ તો એ વિરોધ પક્ષને ખૂંચી હતી;
સાત્વિક ભોજન અને વિચારો હતા ઉચ્ચ,
સાદગી ને સરળતા જ એમની પૂંજી હતી;
ઈચ્છતા કાયમ તેઓ પ્રગતિ ભારત દેશની
હૃદયમાં પ્રથમ ફોજ તો દ્વિતીય કૃષિ હતી;
ઉન્નતિના શિખરે પહોંચાડવાની રાખી નેમ,
ભારતને નંબર એક બનાવવાની વૃત્તિ હતી;
પણ અફસોસ કે થયું મૃત્યુ રહસ્યમય રીતે,
એમના મરણમાં પણ ઘણી આંટીઘૂંટી હતી;
છે જન્મ દિવસ લાલ બહાદુર શાસ્ત્રીજીનો,
"વ્યોમ" શાસ્ત્રીજી પ્રભુની વિરલ કૃત્તિ હતી;
✍...©વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર