સખી શું કહું? આપણી મિત્રતા ની વાત;
મારા મસ્તીભર્યા તોફાન ની વાત સાંભળી તું હરખી પડે છે;
તારા હ્રદય ના ઘાવ જોઈ મારી આંખો વરસી પડે છે.
મળું તને તો જોવ તારા હ્રદય માં ઉતરી ને કે મારી સખી કેમ ચોધાર વરસી પડે છે;
છે તદ્દન વિરુધ્ધ સ્વભાવ તારો ને મારો લાગણી ક્યાં સ્વભાવ જોઈ છે;
આપણે તો અર્જુન અને કૃષ્ણ છીએ એટલે જ મિત્રતા હ્રદય સરસી રહે છે.
તું આવ 'મધુસૂદન' બની આ સવ્યસાચી ના હ્રદય માં આ તો કાવ્યયુદ્ધ છે;
તારા વિના તો અટકી પડે છે.
એન. આર. ખીમસુરિયા