“દર્દ અને આંસુનો સથવારો”
કવિ ન્હાનાલાલ કહે છે : ‘પરમ પ્રેમ પરબ્રહ્મ.’ દર્દ અને આંસુનો સથવારો સદીઓ જૂનો છે. છૂટાછેડા વખતે લડવાનું ફરજિયાત નથી. વિચારપૂર્વક થયેલા છૂટાછેડા પણ પવિત્ર છે. અસભ્ય સમાજમાં કાયદેસરના લગ્નસંબંધ કરતાં પણ ગેરકાયદેસર ગણાતો ખાનગી લગ્નેતર સંબંધ પણ અધિક પવિત્ર હોઇ શકે છે. જે સમાજ પ્રેમને ગુનો ગણે એ સમાજે ગુનાને પ્રેમ કરવો જ પડે છે. જ્યારે દુ:ખનો રથ ધરતીથી વેંત ઊંચો ચાલે ત્યારે દુ:ખને દર્દનો દરજ્જો પ્રાપ્ત થાય છે. શાયર આવી અલૌકિક અક્રૂરતાનો સ્વામી છે અને તેથી વંદનીય છે.