અનુભૂતિ
એંણે દીધેલ આંસુ તો શણગારમાં ગણાય,
ગમવાનું એણે કયાં હજી ઓછું કર્યુ જરાય.
સંદીપ પૂજારા.
પ્રેમીએ કોઈ પણ વસ્તું આપેલ તો અમૂલ્ય ગણાય તે પછી આંસુ કેમ ના હોય. પ્રેમીઓ નું જગત જ નિરાળુ હોય છે. પ્રેમ એ દુનિયા ની સૌથી સુંદર અનૂભુતિ. જેમાં એકબીજા માટૅ જીવવાની અને મરી જવાની ભાવના છુપાયેલી હોય છે. પ્રેમ માં કઈ પણ મળે એ કાયનાત ની સૌથી શ્રેષ્ઠ જ હોય છે. ત્યાં ગમો અણગમો વચ્ચે આવતો જ નથી.
પ્રેમી તરફથી જો જીવનભાર માટે આંસુ હોય તો તેનો પણ સ્વીકાર જ થાય છે. નથી પ્રેમ ઓછો થર્તો નથી ગમવાનું ઓછું થતું.
સખી
દર્શિતા બાબુભાઈ શાહ