આપણે તો આપણી જ મસ્તીમાં રહેવું મનવા... બિંદુ
સુખ જોઈ અહીં મારું સૌ ઉદાસ થાય
તો વળી દુઃખ જોઈ મારુ જોને સૌ કોઈ હરખાય
આપણે તો આપણી જ મસ્તીમાં જ રહેવું મનવા
કોઈના માટે થઈને શાને બદલવું કે બદલાઈ જવું ?
બદલાઈ જાય જો દુનિયા તો સાને ફિકર કરવી મનવા
આપણે તો આપણી જ મસ્તીમાં રહેવું મનવા
છીએ જ આપણે જો સાચા તો ખોટાથી શું ફેર પળે
હોય ઝુંડ ખોટાઓનું તો આપણે તો સિંહ થઈ ફરવું મનવા બસ આપણે તો આપણી જ મસ્તીમાં રહેવું મનવા
મન માને ત્યાં જવું જો ન મન માને
થાય જો મનમાં અચકાટ તો ન જવું ત્યાં
મનના માલિક આપણે શું ખોટી પડોજણમાં પડવું મનવા
આપણે તો આપણી જ મસ્તીમાં રહેવું મનવા
છીએ આપણે કંઈક માટે તો પગ ખેંચનારાઓ છે હજાર
નથી ફિકર આવાઓની
આપણે તો માત્ર ઈશ્વરથી જ ડરવું મનવા....... બિંદુ
આપણે તો આપણી જ મસ્તીમાં રહેવું મનવા...
જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻
૧૨/૧૦/૨૨
૦૩:૦૬ PM
-Bindu _Anurag