Gujarati Quote in Blog by Harsha Trivedi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મૃત્યુ એટલે જીવ ને શિવ નું મિલન એટલે કે પરમાત્મા સાથે નું મિલન . મૃત્યુ એક ઉત્સવ . પણ બહુ જ વિરલ જીવાત્માઓ જ એ મિલન ની ક્ષણ માટે માનસિક રીતે તૈયાર હોય છે. જે કુટુંબીજનો ને કહેવું હોય , સલાહ સૂચન આપવા હોય એ આપી દે , જેમને મળવું હોય એમને મળી લે. બધી રીતે પોતાના દુન્યવી કહેવાતા કાર્યો કરી લે ને મૃત્યુ માટે તૈયાર રહે. ચાલ આવ, હું હવે રેડી છું . મને મૃત્યુ તારો ડર લાગતો નથી. આ પરીસ્તીથી એ જીવ ને એ જીવ ના કુટુંબીજનો બધા માટે આશીર્વાદ રૂપ હોય છે. એ કુટુંબીજનો માટે એક લેસન પણ હોય છે. બાકી જીવન થી મૃત્યુ સુધી ની મુસાફરી માં બધા જ ફક્ત આવતા જતાં હોય છે. મૃત્યુ ને ઉત્સવ તરીકે માણી શકતા નથી.

Gujarati Blog by Harsha Trivedi : 111832472
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now