આપણને શું જોઈએ આપણ ને જ ક્યાં ખબર હોય છે...
એતો મળે કે ના મળે એની થોડી સહેલી સમજ હોય છે..
દરિયાના પેટાળમાં હોય છે અઢળક ખજાનો....
લહેરો ને ક્યાં કઈ ખબર હોય છે....
ભીતર સાચવી રાખેલું નહિ સચવાયેલ જ હોય છે...
આપણે ધ્યાન જ ના આપ્યું જેની ખરેખર જરૂર હોય છે...
કોઈકવાર છલકાઈને કિનારે તો આવે જે અંદર સંઘરેલું હોય છે ...
પણ આપણને જે સામે થી આવે એની ક્યાં કદર હોય છે..
પછી તો સમય બનાવે મરજીવા ને ડૂબકી લગાવે નિજ માં...
મળે અઢળક પ્રકાશ અંતરના અંધકારમાં પણ...
ઇશ્વરની આપણી પર નજર હોય છે...
-Tru...