https://youtube.com/shorts/1M7ykYE7bd8?feature=share
ગુરુપૂર્ણિમાના દિવસે સર્વે ગુરુજનોને દિલથી કોટી કોટી વંદન.
આજ રોજ મારી એક રચના અહીં રજુ કરું છુ તો સર્વે મિત્રો પ્લીઝ યૂટ્યૂબ પર નિહાળજો અને પસંદ આવે તો લાઈક કરજો કમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઈબ જરૂર કરજો.😊🙏
શીર્ષક - "અંધકાર ભગાવીએ".
દીપક પ્રગટાવી ચાલો અંધકાર ભગાવીએ,
ખોવાયેલ ઉમ્મીદને ફરી એકવાર જગાડીએ.
હતાશામાં ઉતરેલાને ચાલો હિંમત જગાડીએ,
એકલતાને દુર કરાવી આત્મીયતા વધારીએ.
મનથી મુરઝાયેલાના મનમાં ઉમંગ વધારીએ,
સુકાઈ ગયેલી આંખોમાં ફરી સ્વપ્ન બતાવીએ.
નાત-જાતના વાડાથી ઉપર ઊઠી માનવતા અપનાવીએ,
માણસ છીએ તો ચાલો માણસાઈની જ્યોત પ્રગટાવીએ.
ધર્મ-અધર્મની વાત છોડીને કર્મનો રસ્તો અપનાવીએ,
શરૂઆત આપણાથી જ કરી લાંબી લાઈન લગાવીએ.
-
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.'રાહગીર'.
ઉંટવા.