Included here for wide circulation.
"દુનિયામાં પૈસા જ સર્વસ્વ છે” આ ફિલોસોફી માં માનનાર દરેક માટે....
*૧૯૨૩માં શિકાગોની “એડજ વોટર બીચ” હોટલમાં દુનીયાના સૌથી વધારે ધન કુબેરોમા ના નવ ધનવાન લોકો ભેગા થયા....*
તે બધાની કુલ સંપત્તિ તે વખતની અમેરિકાની સરકારની કુલ સંપત્તિ કરતા પણ વધારે હોવાનો અંદાજ હતો...
આ લોકોને ચોક્કસ ખબર જ હતી કે કઈ રીતે જીવવું અને સંપત્તિ એકઠી કરવી...!!
આ મીટીંગમાં હાજરી આપનાર નીચેના વ્યક્તિઓ હતા..
૧. સૌથી મોટી સ્ટીલ કંપનીનો પ્રેસીડેન્ટ
૨. સૌથી મોટી યુટીલીટી કંપનીનો પ્રેસીડેન્ટ
૩. સૌથી મોટી ગેસ કંપનીનો પ્રેસીડેન્ટ
૪. ન્યુયોર્ક સ્ટોક એક્સ્ચેઇન્જનો પ્રેસીડેન્ટ
૫ .બેન્ક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સનો પ્રેસીડેન્ટ
૬. ઘઉં બજારનો સૌથી મોટો સટ્ટો રમનાર
૭. વોલ સ્ટ્રીટનો સૌથી મોટો બીયર વાળો
૮. વિશ્વના મહાન અર્થતંત્રનો વડો અને...
૯. પ્રમુખ હાર્ડીંગના કેબિનેટનો સભ્ય...
કોઈ પણ માપદંડથી જોતા આ બધા ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિઓ હતા.
તેમ છતાં ૨૫ વર્ષ પછી આ નવ ઇન્ડસ્ટ્રીયલ દીગ્ગજો કયાં હતા...!!?
ચાલો જાણીએ ૨૫ વર્ષ પછી આ લોકો નું શું થયું...!!?
૧. સૌથી મોટી સ્ટીલ કંપની,(બેથલેહમસ્ટીલ કોર્પોરેશન)નો પ્રેસીડેન્ટ ચાર્લ્સ એમ.સ્વેબ મૃત્યુ પહેલાના પાંચ વર્ષ ઉધાર લીધેલ પૈસા પર જીવ્યો અને દેવળિયો થઇ મૃત્યુ પામ્યો.
૨. સૌથી મોટી ગેસકંપનીનો પ્રેસીડેન્ટ, હોવાર્ડ હબસન ગાંડો થઇ ગયો.
૩. સૌથી મોટો કોમોડીટીનો વેપારી (ઘઉં બજારનો વેપારી) આર્થરકુટે નાદાર બની મૃત્યુ પામ્યો.
૪. ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જના તત્કાલીન પ્રમુખ, રિચાર્ડ વ્હીટનીને જેલમાં જવાનો સમય આવ્યો.
૫. યુ.એસ.પ્રેસિડેન્ટ કેબિનેટના સભ્ય (પ્રમુખ હાર્ડીંગનાકેબિનેટના સભ્ય),આલ્બર્ટ ફોલને જેલમાંથી સજા માફ કરી મુક્ત કરવા આવ્યો હતો જેથી તે ઘરે જઈ અને શાંતિથી અંતિમ શ્વાસ લઇ શકે.
૬. વોલ સ્ટ્રીટના સૌથી મોટા બીયરવાળા જેસી લિવરમોરે આત્મહત્યા કરી હતી.
૭. વિશ્વના મહાન અર્થતંત્રના વડા ઈવર ક્રુગેરે આત્મહત્યા કરી હતી.
૮. બેન્ક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સના પ્રેસીડેન્ટ લિયોન ફ્રેઝરએ આત્મહત્યા કરી હતી.
૯. સૌથી મોટી યુટિલિટી કંપનીના અધ્યક્ષ, સેમ્યુઅલ અનસૂલ, મૃત્યુ પામ્યા ત્યારે નિર્ધન હતા.
તેઓ જયારે પૈસા કમાવવામાં વ્યસ્ત હતા ત્યારે તેઓ એ ભૂલી ગયા હતા - ”જીવન” કેવી રીતે જીવવું...!!!
નાણાં પોતે દૂષણ નથી; તે ભૂખ્યા માટે ખોરાક, બીમાર માટે દવા, જરૂરિયાતમંદ માટે કપડાં આપે છે.
નાણાંએ એક માત્ર એક્સચેન્જનું માધ્યમ છે....
આપણને બે પ્રકારના શિક્ષણની જરૂર છે....
A) એક એવું કે જે આપણને જીવન કેવું બનાવવું તે શીખવે...!! અને
B) બીજું એવું કે કેમ જીવવું તે શીખવે....!!
આપણામાંના ઘણા એવા છે કે જે પોતાના વ્યવસાયિક જીવનમાં એટલી હદે ગૂથાયેલા રહે છે કે તેઓ પોતાના પરિવાર, આરોગ્ય અને સામાજિક જવાબદારીઓની અવગણના કરતા હોય છે....!!
જો તેઓને એમ પૂછવામાં આવે કે તેઓ આમ શા માટે કરે છે...!!? તો જવાબ આપશે કે....
તે આમ પોતાના પરિવાર માટે જ તો કરે છે...!!
આપણે સવારે કામ પર જવા ઘર છોડીયે ત્યારે આપણા બાળકો સૂતાં હોય,
જયારે આપણે ઘરે પરત આવીએ ત્યારે પણ તેઓ રાત્રે સુઈ ગયાં હોય છે...!!!
વીસ વર્ષ પછી, આપણે નવરા પડશું, ત્યારે તે બધા પોતાના સ્વપનો સાકાર કરવા અને પોતાની જિંદગી જીવવા નીકળી પડ્યા હશે....!!
પાણી વિના વહાણ ચાલી શકે નહિ. વહાણને પાણીની જરૂર ખરી,
પરંતુ પાણી વહાણની અંદર જાય તો તેના અસ્તિત્વનો પ્રશ્ન ઉભો થાય છે....!!
જે એક સમયે વહાણ માટે જરૂરી હતું તે હવે વિનાશનું કારણ બની શકે છે.
***
Call 24×7 "Free of cost":-
Nayan C.Vaidya
9879202444.
For
"Disease free life"
&
"World without medicine"
*****