યોગ - વિયોગ ભાગ ૨ કાજલ ઓઝા વૈદ્ય
* "કોઈ પણ તમારી મરજી વિના તમારો દુરુપયોગ નથી કરી શકતું. તમારા દુઃખ નું કારણ તમે પોતે જ છો.કોઈ વ્યક્તિ તમને દુઃખ આપે છે,કારણ કે તમે એની પાસે કંઈ લેવા જાવ છો.તમે જે માંગો છો એના બદલા માં એ તમારી પાસે બીજું કઈ માગે છે. આ લેવડ દેવળ થી જ્યારે તમને છેતરવાની લાગણી થાય છે ત્યારે તમારામાં ભય જન્મે છે."
* " સંબંધ માં પડેલી તિરાડ માં ગમે તેટલા સાંધા માર્યે પુરાતી નથી."
* " માળા માં રહેલું પંખી નું બચ્ચું ઉડી ના શકે ત્યાં સુધી એની મા પોતાના ભાગની ચણ પણ બચ્ચાં ને ખવડાવી દે,પણ એક વાર બચ્ચાં ને પાંખો અને આંખો આવી જાય પછી એને જાતે જ ઊડતાં શીખવાડીને આકાશને હવાલે કરી દે છે."
from YOG-VIYOG by Kajal Oza Vaidya