આપણું દિમાગ વિચારો, ખ્યાલો અને માન્યતાઓની વખાર જેવું બની ગયું છે. કયારેક આ બધું એમાં એવું આડેધડ પડયું રહે છે કે એ ઉકરડો બનીને રહી જાય છે. એથી જ ઘણીવાર વિચારો અને માન્યતાઓ ગંધાઈ ઊઠે છે અને એને લઈને સંબંધોમાં સડો પેદા થાય છે. તેની પીડા વેઠયા કરીએ છીએ. આ વખારને વ્યવસ્થિત કરવાની કે ઉકરડાની સાફ-સફાઈ કરવાની દરકાર કરતા નથી. છેવટે તો આપણું પોતાનું જ સમગ્ર વ્યક્તિત્વ ઉકરડાનું પ્રતિરૂપ બનીને રહી જાય છે.
આનંદવન - દિવ્યેશ ત્રિવેદી – http://smitatrivedi.in
-Smita Trivedi