બોનસ પ્રિમિયમની જોગવાઈ
સરકારની કોશિશ છે કે જે પણ એગ્રી બિઝનેસ કંપનીઓ છે, કે હોલસેલર્સ, એક્સપોર્ટર્સ અને રિટેલર્સ છે ખેડૂતો તેમની સાથે પોતે એગ્રીમેન્ટ કરીને પરસ્પર કિંમતો નક્કી કરશે અને પાક વેચશે. ખેડૂતોને પાકનો યોગ્ય ભાવ મળશે. વિવાદ થશે તો સમય મર્યાદામાં તેના ઉકેલની પ્રભાવી વ્યવસ્થા હશે. બોનસ કે પ્રીમીયમની જોગવાઈ હશે.
કૃષિ આજે પણ અનિશ્ચિત પ્રક્રિયા
હાલના સમયમાં એવું હોય છે કે કૃષિ આજે પણ એક અનિશ્ચિત પ્રોસેસ છે. જેમાં ચોમાસુ, બજારની અનુકૂળથા વગેરેનો પ્રભાવ પડે છે. જે ખેતીને રિસ્કી બનાવી દે છે. ખેડૂતોએ ભરપૂર મહેનત કરી. પરંતુ તેનું રિટર્ન મળતું નથી. આથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગને મોટા પાયે પ્રોત્સાહન મળે તે જરૂરી છે. ખેડૂતો રિસ્ક મેનેજમેન્ટ માટે શેરડી અને પોલ્ટ્રી સેક્ટર કરાર કરે છે.
સરકારનો જવાબ
વિરોધીઓએ જે સવાલ ઉઠાવ્યા છે તે મુજબ જો વિવાદની સ્થિતિ થાય તો ખેડૂતો કોર્પોરેટ સાથે કેવી રીતે લડશે. તેમની પાસે સંસાધન ઓછા પડશે. તેમનો એ પણ સવાલ છે કે ભાવ કેવી રીતે નક્કી થશે. જેના જવાબમાં સરકાર કહે છે કે એગ્રીમેન્ટ સપ્લાય, ક્વોલિટી ગ્રેડ, સ્ટાન્ડર્ડ તથા કિંમતથી સંબંધિત શરતો પર થશે. વિવાદની સ્થિતિમાં તેનો યોગ્ય ઉકેલ લાવવામાં આવશે.
3. ધ એસેન્શિયલ કોમોડિટિઝ (એમેડમેન્ટ) બિલ 2020 (Essential Commodities (Amendment) Bill, 2020
જરૂરી વસ્તુ (સંશોધન) બિલ 1955માં બનાવવામાં આવેલા જરૂરી વસ્તુ બિલની જોગવાઈઓની વ્યાખ્યા કરે છે. સરકારે તેની જોગવાઈઓમાંથી અનાજ, દાળો, ખાદ્યતેલો, ડુંગળી, બટાકાને જરૂરી વસ્તુની સૂચિમાંથી હટાવ્યા છે.
તેની પાછળ તર્ક એ છે કે સરકાર સામાન્ય અવસ્થામાં તેનો સંગ્રહ કરવા અને વિતરણ કરવા પર પોતાનું નિયંત્રણ રાખી શકશે નહીં. જેના દ્વારા ફૂડ સપ્લાય ચેનને આધુનિક બનાવવામાં આવશે અને સાથે સાથે કિંમતોમાં સ્થિરતા જાળવી રખાશે.
જ્યારે શાકભાજીઓના ભાવ બમણા થઈ જશે કે ખરાબ ન થનારા પાકની રિટેલ કિમત 50 ટકા વધી જશે તો સ્ટોક લિમિટ લાગુ થશે. પરંતુ યુદ્ધ અને આફત સમયની સ્થિતિઓમાં કેન્દ્ર સરકાર પુન:નિયંત્રણ તરીકે પોતાના હાથમાં લેશે.
સરકારનો તર્ક
સરકારનું કહેવું છે કે હાલની વ્યવસ્થામાં જરૂરી વસ્તુ અધિનિયમના કારણે કોલ્ડ સ્ટોરેજ, ગોદામો, પ્રોસેસિંગ અને એક્સપોર્ટમાં રોકાણ ઓછું થવાના કારણે ખેડૂતોને લાભ મળતો નથી. જો પાક જલદી સડે એવો હોય અને બમણું ઉત્પાદન થયું હોય તો ખેડૂતોને ભારે નુકસાન ઉઠાવવું પડે છે.
આ અધિનિયમ કાયદો બને તેના પર એટલા માટે આપત્તિ વ્યક્ત કરાઈ રહી છે કારણ કે તેનાથી ભાવોમાં અસ્થિરતા આવશે. ફૂડ સિક્યુરિટી સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે. રાજ્યોને એ પણ ખબર નહીં પડે કે રાજ્યોમાં કઈ વસ્તુનો કેટલો સ્ટોક છે. આ સાથે જ જરૂરી વસ્તુઓના કાળાબજાર વધી શકે છે.
n/n