Quotes by GIRLy Quotes in Bitesapp read free

GIRLy Quotes

GIRLy Quotes

@hindbharat


एक शादीशुदा मर्द::: अपनी प्रेमिका को वो अहमियत कभी नहीं दे सकता:::जो वो अपनी पत्नी को देता हैं::::

નારાજગી...
એક અતૂટ, અખંડ અને વિશ્વસનીય સંબંધની મૌન સ્વીકૃતિ છે.
નારાજગી ત્યાં જ જન્મે છે, જ્યાં અપેક્ષા હોય છે. જ્યાં લાગણી હોય છે. જ્યાં કોઈના શબ્દો, વર્તન અને હાજરીથી ખરેખર ફરક પડતો હોય છે. અજાણ્યા માણસ પર કોઈ નારાજ થતું નથી, કારણ કે ત્યાં સંબંધ જ નથી હોતો.
ઘણી વાર લોકો નારાજગીને સંબંધની કમજોરી માને છે, જ્યારે હકીકતમાં તે સંબંધના અસ્તિત્વનો પુરાવો હોય છે. કારણ કે જે સંબંધમાં કોઈ અપેક્ષા જ નથી, ત્યાં નારાજગી પણ હોતી નથી. ત્યાં માત્ર ઔપચારિકતા હોય છે.

પરંતુ એક વાત યાદ રાખવી જોઈએ—નારાજગીનું સૌંદર્ય ત્યાં સુધી જ છે, જ્યાં સુધી તેની પાછળ પ્રેમ, સન્માન અને ફરી જોડાવાની ઇચ્છા જીવંત હોય. જો નારાજગી લાંબા સમય સુધી મૌનમાં બદલાઈ જાય, સંવાદ બંધ થઈ જાય અને અહંકાર લાગણીઓ કરતાં મોટો બની જાય, તો એ જ નારાજગી સંબંધોને અંદરથી ખોખલા બનાવી દે છે.

સાચા સંબંધોમાં લોકો જીતવા માટે દલીલો નથી કરતા, પરંતુ એકબીજાને સમજવા માટે વાત કરે છે. કારણ કે તેઓ જાણે છે કે સંબંધ સાચવવો, પોતાનો અહંકાર સાચવવા કરતાં વધુ મહત્વનો છે.નારાજગીનો અર્થ અંત નથી; ઘણી વખત તે એક મૌન અવાજ હોય છે, જે કહે છે—
"તું આજે પણ મારા માટે મહત્વનો છે, એટલે જ તારું વર્તન મને દુઃખ આપે છે."
એટલે જો કોઈ પોતાના મનની નારાજગી વ્યક્ત કરે, તો તેને હંમેશા ફરિયાદ ન સમજશો. ઘણી વખત એ સંબંધને બચાવવાનો છેલ્લો પ્રયાસ હોય છે.કારણ કે જ્યાં પ્રેમ સાચો હોય છે, ત્યાં નારાજગી ક્ષણિક હોય છે અને સંબંધ કાયમી રહે છે.
#નારાજગી

Read More

આ સાચી ઘટના પર આધારિત છે, જે આવી પરિસ્થિતિમાંથી પસાર થતી દરેક સ્ત્રી માટે એક લાલબત્તી સમાન છે. આ પોસ્ટ કોઈ વ્યક્તિગત આક્ષેપ નથી, પણ સમાજની આંખ ઉઘાડનારો કિસ્સો છે, માટે આ લખાણને કોઈએ પોતાના પર ઓઢી લેવું નહીં...

આજે સોશિયલ મીડિયા પર એવા કેટલાય નકામા અને નફ્ફટ પતિઓ ભટકી રહ્યા છે, જેઓ ઘરમાં પત્ની જીવતી હોવા છતાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કાં તો કુંવારા બની જાય છે, અથવા તો પોતાની જ પત્નીને જીવતી મારીને રાંડવા હોવાનું નાટક કરે છે....

વિચારો, એક સ્ત્રીએ પોતાના જ પતિનું અસલી રૂપ જોવા માટે ફેક આઈડી બનાવવું પડે અને જ્યારે એ ચેટિંગ શરૂ કરે ત્યારે ખબર પડે કે જે પતિ સાથે એ રોજ એક જ ઘરમાં રહે છે, એક જ થાળીમાં જમે છે, તે જ પતિ સોશિયલ મીડિયા પર બીજી સ્ત્રીઓ સામે પોતાની પત્નીને એક વર્ષ પહેલાં જ મારી ચૂક્યો છે, અને ફેક આઈડી વાળી સ્ત્રી સાથે લગ્ન કરવા અને મળવા માટે ટળવળી રહ્યો છે....

કેવી શરમજનક અને ઘૃણાસ્પદ બાબત કહેવાય..
અરે ઓ ભાઈઓ! જરા જાગો અને શરમ કરો
તમને ખબર પણ નથી કે જે ફેક આઈડી સાથે તમે રાત-દિવસ લાળ ટપકાવીને વાતો કરો છો, એ કદાચ તમારી જ પત્ની, બહેન કે દીકરી હોઈ શકે છે. પરસ્ત્રીની મોહમાયામાં આવીને આવા ધંધા કરતાં તમને સહેજ પણ સંકોચ નથી થતો?

અગ્નિની સાક્ષીએ, સાત જન્મો સુધી સાથે નિભાવવાના જે સાત ફેરા તમે લીધા હતા, તે પવિત્ર બંધનને કોઈ અજાણી સ્ત્રી માટે આટલી હદે લજવતા તમને શરમ આવવી જોઈએ?

વિશ્વાસઘાત એ દુનિયાનું સૌથી મોટું અને ઝેરીલું હથિયાર છે. એ સામેવાળી વ્યક્તિને શારીરિક રીતે ભલે ન મારે, પણ માનસિક રીતે જીવતેજીવ મારી નાખે છે. જે પત્ની તમારા પર આખું જીવન ન્યોછાવર કરી દે છે, તેના જ પીઠ પાછળ આવો ખંજર ભોંકતા તમારી મરદાનગી ક્યાં ચાલી જાય છે?

જો સોશિયલ મીડિયા પર સિંગલ બનવાનો આટલો જ શોખ હોય, તો પહેલા ઘરમાં રહેલી લક્ષ્મીને સન્માનભેર મુક્ત કરી દો. પોતાની વાસના અને ટાઈમપાસ માટે કોઈના પવિત્ર વિશ્વાસની આહુતિ ન આપો. યાદ રાખજો, ડિજિટલ દુનિયાના જૂઠાણાં લાંબો સમય નથી ટકતા. જે પત્ની ઘર સંભાળી શકે છે, તે તમારો અસલી ચહેરો ઉઘાડો પાડતાં પણ વાર નહીં લગાડે. પરસ્ત્રી પાછળ આંધળા થતાં પહેલાં અરીસામાં પોતાનું મોઢું જોઈ લેજો કે તમે માણસ છો કે જાનવર??

Read More

"धर्मवीर भारती की किताब 'गुनाहों का देवता' चन्दर और सुधा की एक ऐसी ही अधूरी और बेबस मोहब्बत की दास्तान है, जहाँ समाज, आदर्शों और कायरता के बीच एक पवित्र रिश्ता दम तोड़ देता है। यह लाइन उस दर्द की पराकाष्ठा है। जब दो लोग मोहब्बत करते हैं, तो दोनों का समर्पण बराबर होना चाहिए। लेकिन जब वक़्त की कसौटी आती है, समाज की दीवारें सामने खड़ी होती हैं, और उनमें से कोई एक कायर निकल जाता है—लड़ने के बजाय घुटने टेक देता है या पीछे हट जाता है—तो नुकसान सिर्फ उस रिश्ते का नहीं होता। दूसरा इंसान, जिसने अपनी पूरी कायनात उस प्यार को मान लिया था, वो अंदर से पूरी तरह टूट जाता है। वो जीता तो है, लेकिन उसकी रूह हर रोज़ बे-मौत मरती है।
"मोहब्बत निभाना हर किसी के बस की बात नहीं होती। वादे करना आसान है, लेकिन जब उन वादों को निभाने के लिए दुनिया से, हालात से या खुद से लड़ना पड़े, तब इंसान की असलियत सामने आती है। प्रेम में कायरता सबसे बड़ा गुनाह है। जो लोग मुश्किल वक़्त में हाथ छोड़ देते हैं, वे कभी सच्चे प्रेमी नहीं हो सकते। हाँ, किसी एक के पीछे हट जाने से दूसरा इंसान पूरी तरह बिखर जाता है, लेकिन यही बिखराव कभी-कभी उसे अंदर से बेहद मज़बूत भी बना देता है।

Read More