કોઇ પણ સંબંધની ગરિમા જાળવવાનુ કામ અઘરુ છે પણ અશક્ય નથી..આ માટે સમયને ધીરે ધીરે સરકવા દેવો પડે છે..અને ત્યાં સુધી એ તુટેલી કરચોથી સંભાળીને રહેવુ પડે છે...એક સમયે સૌથી નજીક રહેલી વ્યક્તિ દુર થઇ જાય છે.ત્યારે એ ખાલીપો જીરવવો અઘરો તો છે જ..પ્રેમ અને સંબંધને પકડી રાખશો તો ક્યારેય નજીક નહિ રહી શકાય એને તો વહેવા જ દેવો પડે.પકડ્વા જઇએ તો એની પાછ્ળ ઢ્સડાવુ પડે છે.એક તરફી પકડ છુટે ત્યારે એવા સરકે છે કે જીવનભર એ ઘા ભુલી શકાતા નથી.
સંબંધોમા પણ ક્યારેક ફુટી નિકળે છે ઝાંખરા....અને નડ્યા જ કરે છે એ ફેલાતી લીલોતરીમાં..
સુકા ભઠ ડાળખા વેરાય ત્યારે એ ખુંચ્યા વગર રહે છે ખરા..?