પ્રભાવ
શાં કાજ જીવનમાં કોઈપણ અભાવ હો!
સદા પ્રેમ અને લાગણી તણો વર્ષાવ હો.
ના કદી કોઈનોય માત્ર ખોટો પ્રભાવ હો
સાચા સંબંધો અને હદયથી લગાવ હો.
વ્યર્થ માંગણીઓ ખાતર ના અલગાવ હો,
સમર્પિત ભાવના અને ત્યાગે નિભાવ હો.
મન દુભાવતો દુઃખદાયક ના સ્વભાવ હો,
પ્રસન્નતા વહેંચવી હરેકને એ ભાવ હો.
સ્વના જ સુખ તરફનો જ ના ઝૂકાવ હો,
સર્વેના સંતોષી જીવન માટેનો વહાવ હો.
પટેલ પદ્માક્ષી(પ્રાંજલ)
વલસાડ