ડરતાં રહે..
બાદબાકી રામની ને, રાવણો વધતા રહે,
સ્ત્રી રક્ષા ખુદની કરે તો દૈત્ય સૌ ખરતાં રહે.
લાખ માયાવી જગત છોને રચીને એ છળે,
ત્રાડ પાડી ને ત્રિશૂળ ઉગામે, તો મરતા રહે.
રામના હાથે હણાયો છે રાવણ યુગો પૂર્વે,
તો પછી રાવણત્વ શા માટે હજુ મળતા રહે!!
રાડ પાડીને ભગાડો આ નીચ તત્વો ને તમે,
ડંખ ના મારો ભલે, ફૂંફાડાથી ડરતાં રહે.
ઉપરી દેખાવ ના જુઓ તમે કોઈના પણ,
રૂપાળા ચહેરાની નીચે, હેવાનો શઠતા રહે.
દિલીપ વી ઘાસવાલા