ઘરમાં શાંતિ રાખવાનો હેતુ એટલો જ છે કે નવી પેઢીના બાળકો મૂક નિરીક્ષણ કરી માતા-પિતા કે વડીલનું અનુકરણ કરે છે.જેવા તેમના માતા-પિતા હોય છે એવા જ બાળકો હોય છે અને આવું લગભગ બધા જ કિસ્સામાં જોયું અને અનુભવ્યું હશે આપણે બધાંએ.ગમે તેટલા મોટા મિલ-માલિક હોઈએ આપણે પણ ઘરમાં શાંતિ ન હોય તો એ પૈસાનો શું મતલબ?અંતે તો આપણે બધા દુનિયાની પળોજણમાથી રાહત મેળવવા ઘરે આવીએ છીએ પણ જ્યાં માનસિક શાંતિ જ ન હોય ત્યાં જઈને શું ફાયદો?
જો પતિ-પત્ની વચ્ચે કોઈ તકરાર થાય તો, રૂમમાં બાખડી લો, સમાધાન કરી લો પણ એમની વચ્ચે થયેલા અંતરાયો બાળક સુધી તો ન જ આવવા જોઈએ.જેમ માતા-પિતા સંતાનોને ખુશ જોવા ઈચ્છે છે તેમ તેમના સંતાનો પણ તેમને હંમેશા ખુશ જોવા જ ઈચ્છે છે.માતા-પિતા તરીકે જો આપણે સંતાન પાસેથી સારા વ્યવહારની અપેક્ષા રાખતા હોઈએ એજ અપેક્ષા બાળકને માતા-પિતા પાસેથી હોય છે.
ટૂંકમાં આપણી અંદર જે હશે તે જ બહાર આવશે અને તેની પ્રત્યક્ષ કે પરોક્ષ અસર બાળક પર થશે.એટલે કોશિશ એજ હોવી જોઈએ માતા-પિતા તરીકે કે આપણા વાણી-વર્તનની વિપરીત અસર સંતાન પર ન પડે!