આપણે કરી મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા ને,
કર્યા ઇશ્વરને સ્થાપિત મંદિરમાં.
મંદિર, મસ્જિદ, દેવાલય ને ચર્ચ,
'જૂજવે રૂપે અનંત ભાસે.'
કરી ફક્ત ટીલાં, ટપકાં ને માળા,
નથી મળતાં પરમાત્મા ખાલી પારામા.
શોધવો પડે છે ભીતરમાં એને પણ,
એમ જ નથી મળી જતો દેવાલયોમાં.
જરૂરી છે એ સ્થાનક આત્મોધ્દ્વાર માટે,
રખે એને માની લેતા સ્થળ પર્યટન સાટે.
D.K.D.(રાધા)
#મંદિર