થોડા ચિંતનશીલ સુવિચાર
સતત પ્રાર્થના કર્યા કરતા શિષ્યને ગુરુએ કહ્યું, “ભગવાન પર આધાર રાખવાનો છોડીને તારા બે પગ પર તું ક્યારે ઊભો રહી શકીશ ? નવાઈ પામીને શિષ્યે કહ્યું, “પણ તમે જ તો મને ઈશ્વરને પરમપિતારૂપે જોવાનું શીખવ્યું હતું.” ગુરુએ કહ્યું, “પિતા એટલે જેના પર તું આધાર રાખી શકે તે નહીં, પણ જે તને આધારિત થવાની મનોવૃત્તિમાંથી છોડાવે તે, એવું તું ક્યારે શીખીશ?”
########################
નવપરિણીત દંપતિ : અમારો પ્રેમ સદાકાળ ટકી રહે તે માટે અમે શું કરી શકીએ?
ગુરુ : બંને સાથે મળીને અન્ય બાબતોને ચાહો.
–એન્થની ડિ’મેલો
########################
આપણને મળેલા પ્રકાશ માટે ઈશ્વરનો આભાર માનવાનો સહુથી સુંદર માર્ગ એક જ છે. –અંધકારમાં રહેલા કોઈ તરફ સહાયનો હાથ લંબાવવો.
–હેલન કેલર
#############################
સંવેદનશીલ હોવું એટલે પ્રેમ કરવો. પ્રેમ શબ્દ તે પ્રેમ નથી. ઈશ્વરનો પ્રેમ અને મનુષ્યનો પ્રેમ એવા ભાગ પાડી શકાય નહિ. એકનો પ્રેમ અને ઘણાનો પ્રેમ એ રીતે તો માપી શકાય નહિ. ફૂલ જેમ સુગંધ આપે તેમ પ્રેમ પોતાને વિપુલપણે આપે છે.પણ આપણે હંમેશાં આપણા પ્રેમને માપ્યા કરીએ છીએ અને એમ કરીને તેને નષ્ટ કરી દઈએ છીએ.
-જે કૃષ્ણમૂર્તિ
################### .