ક્યારે દાન કરવાથી મળે છે કેટલા ગણું ફળ? જાણો
જીવનમાં સાચો સમય, સાચા ઉદેશ્ય માટે સારું કામ વાસ્તવિક રૂપથી ધર્મપાલન છે. કારણ કે આવું કામ જ હંમેશા સુખ-શાંતિ અને યશની કામનાને પૂરી કરનાર હોય છે. શાસ્ત્રો અનુસાર દૈહિક, માનસિક અને આત્મિક સુખ દેનાર આવું જ કર્મ છે – દાન.
વ્યાવહારિક રૂપથી દાનથી જોડાયેલ ભાવ અહં તથા સ્વાર્થ જેવા દોષોને ઘટાડે છે. આ માટે દાનના માટે ત્યાગ, નિસ્વાર્થ અને વિનમ્રતાનો ભાવ જ સાર્થક છે. આ કારણ છે કે જન્મથી લઈને મૃત્યુ કર્મો સુધીમાં ધાર્મિક મહત્વની દ્રષ્ટિ દાન પરંપરાઓ જોડાયેલ છે. ભલે તે પશુ હોય કે કન્યાદાન.
શિવપુરાણમાં લખેલ છે કે જેથી વસ્તુની જરૂત હોય, તે વગર માંગ્યે જ જાવ તો એવા દાન વધારે ફળીભૂત થાય છે. જેના માટે વિશેષ દિવસો પર કરવામાં આવેલ ધર્મ દીનતા તથા દુઃખોથી બચાવનાર બતાવવામાં આવે છે. જાણો છો તે ખાસ દિવસ –
- દાન માટે આમ તો ચૈત્ર મહિના સાથે વધા હિન્દૂ પંચાંગના બાર મહીના શુભ છે, પણ તેમાં પણ આવનાર વિશેષ ઘડીઓ વધારે શુભ માનવામાં આવે છે. જે આ છે –
- કોઈ પણ મહીનાની સૂર્ય સંક્રાંતિના દિવસે કરવામાં આવેલ દાન અન્ય શુભ દિવસોની તુલનામાં દસ ગણ્યું પુણ્ય આપે છે.
- સૂર્ય સંક્રાંતિથી પણ દસ ગણ્યુ પુણ્યદાયી સૂર્યના વિષુવ યોગ એટલે કે સૂર્ય વિષુવવૃત્ત રેખા સ્થિતિ, જે હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર નવરાત્રી અને આસો માસની નવરાત્રીના બને છે.
- વિષુવ યોગથી દસ ગણ્યુ ફળ કર્ક સંક્રાંતિ એટલે કે દક્ષિણાયન શરૂ થવાનો દિવસ.
- કર્ક સંક્રાંતિથી પણ દસ ગણ્યું મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયન શરૂ થવાનો દિવસ છે.
- તેનાથી પણ વધારે પુણ્ય ચંદ્રગ્રહણ અને સૌથી શ્રેષ્ઠ સમય સૂર્યગ્રહણ દરમ્યાન તથા પછી માનવામાં આવે છે.