#જરૂરિયાતમંદ
મેના બા અને અમથા કાકા નિરાશ વદને બેઠા બેઠા માળા ફેરવે છે ને સાથે ભગવાન ને ફરિયાદ કરી રહ્યા છે આ કેવો રોગ આવ્યો છે? કોઇ બહાર પણ નીકળી શકતું નથી. જેને સગવડ છે એ તો ઘરમાં શાંતિ થી બેઠા છે , પણ અમારા જેવા નું શું ? કાકા ની તબિયત થોડી સારી હતી ફેક્ટરી માં નોકરી એ જતા તો
૩ - ૪ હજાર રૂપિયા પગાર મળતો તો ગાડું ગબડીને જતું. પણ તબિયત બગડતા એ નોકરી છૂટી ગઈ, દીકરો આવતો તો મહિને ૨ હજાર રૂપિયા આપી જતો એમાં જીવ્યે જતાં. દીકરો તો કરોડો કમાતો હતો પણ એ કહેતો બે ઘરડા જિવ ને શું ખર્ચ થાય, સીધું - સામાન તો હું લાવી આપું છું. કોરોના અને લોક ડાઉન ને કારણે દીકરો ૩ મહિના થી ખબર કાઢવા આવ્યો નથી ઘરમાં સીધું પણ ખલાસ થઈ ગયું છે . ત્યાં તો બહાર કંઈ કોલાહલ સંભળાયો, અવાજ સાંભળી મેના બા બહાર નીકળ્યા તો કેટલાક સરકારી માણસો સામાનની કીટ અને ટીફીન આપતા હતા. મેના બા એ પૂછયું બેટા કોના માટે છે? તો ભાઈ એ માહિતી આપતા કહ્યું ' બા આ તમારા જેવા સારા ઘરનાં માટે નથી આ તો" જરુરિયાત
મંદ " માટે છે.